રોડ સેફટી એવોર્ડ મળવા બદલ રાજયપાલે અજય જાડેજાને અભિનંદન પાઠવ્યા

481

ભાવનગરના ફોટોગ્રાફર અજય જાડેજાને તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા રોડ સેફટી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગુજરાતના અલગ-અલગ લોકો સહિત અજય જાડેજાને આ એવોર્ડ મળ્યો હતો. ગુજરાત રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ગાંધીનગર ખાતે અજય જાડેજા સહિતના એવોર્ડ મેળવાનાર અમીત ખત્રી, સત્યેન ફુલાબકર, ક્રિપાલસિંહ જાડેજા, નિતા શાહ, જીતેન્દ્ર પટેલ, પ્રકાશ ચૌહાણ, વિપુલ ચૌહાણ, રાજીકા કચેરીયાને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં. નેચરોપોથના આગ્રહીઅ ેવા રાજયપાલએ પોતાના મંતવ્યમાં જણાવ્યું હતું કે આવું કાર્ય કરવા માટે ભગવાને જ આપને અહિં મોકલ્યા છે. એમ માનીને આ કાર્યને આગળ વધારશે અને લોકોના જીવને બચાવશો.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleબોરતળાવ પો.સ્ટે.ના ગુન્હામાં નાસ્તો-ફરતો આરોપી ઝડપાયો