બાબરા તાલુકાના ચાર ગામો પાક વીમામાં બાકાત રહેતા ગ્રામ્ય ખેડૂતોમાં આક્રોશ

404

બાબરા તાલુકા માં પાક વીમા મુદ્દે બાકાત રહેલા ચાર જેટલા ગામો ના સરપંચો દ્વારા ભાજપ કોંગ્રેસ ના આગેવાનો ને સાથે રાખી અને પાક વીમા ની માંગ સહિત બાકાત રહેલા ગામો માટે પુનઃ વિચારણા કરવા સહિત પાક વીમા ની રકમ નહી મળે તો ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ આંદોલન કરવા મામલતદાર સમક્ષ આપેલા આવેદન માં જણાવી અને આક્રોશ વ્યક્ત કરવા માં આવ્યો છે

વિગત મુજબ વર્ષ ૨૦૧૮/૧૯ માટે બાબરા તાલુકા ના ૫૮ પૈકી ૫૪ ગામો માટે પાક વીમા ની ટકાવારી સહિત ના આકડા તંત્ર દ્વારા બહાર પાડી આવનારા દિવસો માં પાક વીમા ની રકમ ખેડૂતો ના ખાતા માં જમા થનાર હોવાની જાહેરાત થવા પામતા કહી ખુશી કહી ગમ નો માહોલ પેદા થયો છે

બાબરા તાલુકા ના કરીયાણા સુખપુર કુંવરગઢ અને ત્રંબોડા ના સરપંચો એ પોતાના આવેદન માં જણાવ્યા મુજબ પાક વીમા અંગે ક્રોપ કટિંગ નિયમ મુજબ કામગીરી કરવા માં આવી છે જયારે બાકાત રહેલા ગામો માં ક્રોપ કટિંગ વખતે ખેડૂતો અને સરપંચો ઉપસ્થિત રહેલા હતા ૨૦૧૮/૧૯ માટે મગફળી માટે નો વીમો આપવા માં આવેલ છે પણ કપાસ ના વાવેતર અંગે વીમો આપવા માં આવેલ નથી જે ખેડૂતો માટે અહિત કર્તા ગણી શકાય આગામી દિવસો માં પુનઃ વિચારણા હાથધરી બાકી રહેલા ગામો માટે યોગ્ય નીતિ મુજબ પાક વીમો આપવા માં નહી આવે તો ખેડૂતો ને સાથે રાખી ગાંધી ચિંધ્યા રહે ઉપવાસ આંદોલન કરવા અને પાક વીમા માટે કોર્ટ નું શરણું લેવા અંગે રજુવાત કરવા માં આવી છે.

Previous articleચંદરગા ગામેથી ૩ જુગારીઓને રૂા.૧૧,૧પ૦/-ના મુદ્દમાલ સાથે ઝડપી લેતી એલસીબી
Next articleકસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શેત્રુંજી ડેમની કન્યાઓનું ખેલ મહાકુંભમાં  જિલ્લા કક્ષાએ ઉત્તમ પ્રદર્શન