નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બાળકોને ખુરશી, ફ્રુટ વિતરણ કરાયું

472

દેશના યશસ્વી પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે ઘોઘાસર્કલ વોર્ડમાં સેવા સપ્તાહનો કાર્યક્રમ રાખેલ જેમાં યોગીનગર માં આવેલ આંગણવાડી કેન્દ્ર નં ૧૪૭ માં  બાળકોને ખુરશી વિતરણ કરેલ અને ભોળાનાથ સોસાયટીમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નં ૪ માં  ફ્રુટ વિતરણ નો કાર્યક્રમ રાખેલ જેમાં શહેરના મહામંત્રી વનરાજસિંહ ગોહિલ  પૂર્વ મેયર નિમુબેન બાંભણિયા  પૂર્વ ડેપ્યુટી મેયર અને ઘોઘા સર્કલ  વોર્ડ ના પ્રભારી પ્રભાબેન પટેલ નગરસેવિકા  યોગીતા બેન પંડ્યા વોર્ડ પ્રમુખ બળદેવસિંહ ચુડાસમા મહામંત્રી કુલદીપભાઈ પંડ્યા . બુધાભાઈ ગોહિલ અનુસૂચિત જનજાતિના પ્રમુખ પપ્પુભાઈ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમુલભાઈ ચૌહાણ યુવા મોરચાના પ્રમુખ સમીરભાઈ ત્રિવેદી મહામંત્રી હર્ષભાઈ સુખડિયા મહિલા મોરચાના ઉપપ્રમુખ રંજનબેન પરમાર અને દયાળભાઈ ગોહિલ તથા દરેક કાર્યકર્તા મિત્રો હાજર રહેલ.

Previous articleયુનિ. દ્વારા સેમ. ૩ થી ૬ સુધીની પરીક્ષા જુની પધ્ધતિની લેવામાં આવે : એબીવીપી
Next articleતળાજાના બોરડા નજીક આવેલા કોદયા ગામે વધુ એક દિપડો પાજરે પુરાણો