શિકાંગો વિશ્વધર્મ પરિષદના ૧રપ વર્ષની ઉજવણી તક્ષશિલા ખાતે કરાઈ

569

તક્ષશિલા એજયુકેશન ઈન્સ્ટિટયુટ ભાવનગર ખાતે તા. ૧૭ સપ્ટેમબર ર૦૧૯ના રોજ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સંલગન રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ કેન્દ્ર, ભાવનગર દ્વારા સ્વામી વિવેકાનંદે શિકાંગો વિશવ ધર્મ પરિષદમાં આપેલા ઐતિહાસિક વકતવ્યના ૧રપ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વામીજીના જીવન પર વ્યાખ્યાન અને તેઓએ શિકાગો વિશ્વધર્મ પરિષદમાં આપેલા વકતવ્ય્‌ પર લખાયેલા પુસ્તકોના પ્રદર્શન અને વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોકત કાર્યક્રમમાં રામકૃષ્ણ આશ્રમના વિનુભાઈ વોરાએ વિદ્યાર્થીઓને સ્વામીજીના જીવન અને ખાસ તો શિકાગો વિશ્વધર્મ પરિષદના સ્વામીજીના ઐતિહાસિક વકતવ્ય વિશે વિગતવાર માહિતગાર કર્યા હતાં. કાર્યક્રમમાં ધોરણ ૧૦ થી ૧ર અને કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Previous articleગુજરાત : ૨૧ ઓક્ટો. ૪ વિધાનસભા સીટની પેટાચૂંટણી
Next articleઆનંદ