ભાવનગરમાં મસ્જીદ ધારાશાઈ થતાં અનેક દબાયા

787
bvn932018-20.jpg

ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ બાપુની વાડી તરીકે ઓળખાતી મસ્જીદ આજે બપોર બાદ અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં અનેક લોકો દટાયા હતાં. ઘટનાની જાણ થતા તુરંત જ મુસ્લિમ સમાજના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બે ક્રેન તથા જેસીબી વડે ઈમલો હટાવવાની અને બચાવ કામગીરી શરૂ કરાઈ છે. ફાયર બ્રિગેડ તેમજ એક સાથે ૬ જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં ચાર વ્યકિતઓને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા છે. જયારે હજુ વધુ લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ છે. બનાવની જાણ થતાં એસ.પી., ડીવાયએસપી, એલસીબી, એસઓજી તથા તમામ ડીવીઝનના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. બનાવ સ્થળે હજારો લોકોના ટોળા એકઠા થયા છે. 

Previous articleરૂપાણી દ્વારા સ્ત્રી ભ્રુણ હત્યા મુક્ત ગુજરાતની નેમ વ્યક્ત
Next articleવાવોલમાં માર્ગને અધૂરો છોડી દેવાતા ભારે હાલાકી