શહેરમાં ક્ષત્રિય સમાજની શસ્ત્રો સાથે બાઈક રેલી

514

આજે દશેરા (વિજયા દશમી)નિમિત્તે ભાવનગર ગરાસીયા-ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રો સાથેની બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહજીની ખાસ ઉપસ્થિતીમાં ગાયત્રી મંદિર ચિત્રા ખાતેથી ક્ષત્રિય સમાજના યુવાનોની શસ્ત્રો  સાથેની બાઈક રેલી નિકળી હતી. અને શહેરના વિવિધ માર્ગો પર ફરી નવાપરા ખાતે ગરાસીયા બોર્ડીંગ પહોચી હતી. જ્યાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

Previous articleમર્ડર, ધાડ, લુંટ જેવા ગંભીર ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ
Next articleદશેરા નિમિત્તે ભાવાનગરવાસીઓએ જલેબી, ચોળાફળીની જયાફત માણી ભાવનગર