પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરિવાર દ્વારા શસ્ત્રપુજન

1310

વિજયા દશમીના દિવસે શસ્ત્રોનું પૂજન કરવાનું મહાત્મય હોય છે આથી જ રાજપુતો-ક્ષત્રિયો તથા હથિયાર અને શસ્ત્રો રાખતા તમામ લોકો દ્વારા શસ્ત્રપૂજન કરાય છે ત્યારે આજે ભાવનગર પોલીસ પરિવાર દ્વારા પણ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ. વિધી વિધાન સાથે શસ્ત્રપુજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ભાવનગરના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleદશેરા નિમિત્તે ભાવાનગરવાસીઓએ જલેબી, ચોળાફળીની જયાફત માણી ભાવનગર
Next articleશંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ગરાસીયા સમાજ દ્વારા શસ્ત્રપુજન