ભાવ. એસ.ટી. દ્વારા વિવિધ સ્થળોએથી મુસાફરો લેવા અને મુકવાની સેવા શરૂ

446

ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા ભાવનગરથી અમદાવાદ રૂટની એસી અને વોલ્વો બસમાં શહેરમાં વિવિધ સ્થળોએથી મુસાફરોને લેવા અને મુકવાની સેવા શરૂ કરવામાં આવી છે.

એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને એસ.ટી. બસ સેવાનો વધુ લાભ મળે તે હેતુથી ખાનગી લકઝરી બસ સેવાની માફક શહેરના ક્રેસન્ટ સર્કલ, મહિલા કોલેજ સર્કલ, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સંસ્કાર મંડળ, પાણીની ટાંકી અને જવેર્લ્સ સર્કલ ખાતેથી અમદાવાદ રૂટની સવારના ૬ થી રાત્રીના ૧૦ સુધીની આવતી-જતી ૧ર બસમાં મુસાફરોને લેવા અને મુકવાની સેવા શરૂ કરવામાં આવી છે. એસ.ટી. વિભાગ દ્વારા પ૧ મુસાફરોનું બુકીંગ કરાવવામાં આવે તો શહેરમાં કોઈપણ સ્થળે કે સોસાયટીઈ ખાતેથી મુસાફરોને લઈ જવા માટેની પણ સુવિધા શરૂ કરવામાં આવી છે.

 

Previous articleમહુવા જુના બસ સ્ટેન્ડ પાસેથી વરલી મટકાના જુગાર રમતા ૬ ઝડપાયા
Next articleદામનગરની અજમેરા શોપિંગ મુખ્ય બજારો આખલાથી ઉભરાઈ