ભાવનગર શિશુવિહાર દ્વારા ૭૪ માં અનુભવ વર્ગ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા

426

ભાવનગર  શહેર ની શિશુવિહાર સંચાલિત મોંઘીબહેન બાલમંદિરનો સંત્રાત કાર્યક્રમ તા.૧૨ ઓકટૉબરનાં રોજ સંસ્થા પ્રાગણમા યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાલમંદિરનાં બાળકો,અનુભવ વર્ગનાં બહેનો તથા જાગૃત વાલી દ્રારા મનોરંજન કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ. મુખ્ય મહેમાન ટવીકલબહેન નાકરાણી, મહાશ્વેતાબહેન ત્રિપાઠી,  નિર્મળભાઈ વકીલ,  ઝીણારામભાઇ દાણીધરિયા,  ઇન્દાબહેન ભટ્ટની ઉપસ્થિતિમાં ૭૪ માં અનુભવ વર્ગ નાં બહેનોને પ્રમાણપત્ર પુરસ્કાર વિતરણ તથા બાલમંદિરનાં રીક્ષા ચાલક ભાઇઓનું બહુમાન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમનું સંચાલન ચેતના બહેન ટેભાણી તથા  અંકિતાબહેન ભટ્ટએ આભાર માન્યો હતો.

Previous articleદામનગરથી ગારિયાધાર જતા જિલ્લા પંચચાત અમરેલીના માર્ગ બિસ્માર હાલતાં
Next articleદામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડની મુખ્ય લાઈન તુંટી જતાં લાખો લિટર પાણીનો વડફાટ