શરદ પુનમ નિમિત્ત ભાવેણાવાસીઓ ઉંધીયુ-પુરીની જીયાફત માણી

610

ભાવનગર શહેર અને જીલ્લામાં લોકોએ ઉંધીયુ-પુરી, દહીંવડા, ગુલાબ જાંબુ સહિતના સામગ્રીઓની જયાફત માણી શરદપુનમની ઉજવણી કરી હતી. ભાવનગર શહેરમાં વિવીધ સ્થળોએ આવેલ મિઠાઈ અને ફરસાણની દુકાને સવારથી જ ચટાકેદાર ઉંધીયું, દહીંવડા, ગુલાબજાંબુ સહિતની મિઠાઈનું વેચાણ શરૂ થઈ ગયું હતું.  શરદપુનમ નિમિતતે લોકોએ ઉંધીયુ- દહીંવડા સહિતની સામગ્રીની ખરીદી કરી હતી. મોડી સાંજ બાદ શહેરના બોરતળાવ, બાગ-બગીચા સહિતના સ્થળોએ ચંદ્રમાની શિતળ ચંદનીને માણવા લોકો ઉમટી પડ્યા હતાં.

Previous articleરાજય કક્ષાની ખોખો સ્પર્ધા સ્પોટ્ર્‌સ કોમ્પલેક્ષ ખાતે યોજાઈ
Next articleસેક્સી સની લિયોન પાસે હાલ  આઇટમ સોંગ નથી