અમિતાભ બચ્ચન બે દિવસ પછી ‘કેબીસી’નું શૂટિંગ શરૂ કરશે

378

અમિતાભ બચ્ચનને લઈ ચર્ચા થતી હતી કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને હાલમાં જ સોશિયલ મીડિયામાં તેઓ નાણાવટી હોસ્પિટલમાંથી બહાર નીકળતા હોય તે વીડિયો પણ વાયરલ થયો હતો. અમિતાભે પણ બ્લોગ પર પોતાની બીમારીને લઈ ચાલતી ચર્ચાઓને લઈ નારાજગી પ્રગટ કરી હતી. હાલમાં જ ‘કૌન બનેગા કરોડપતિ’ના મેકર્સ તથા ચેનલે અમિતાભને લઈ કેટલીક વાતો શૅર કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમિતાભ ‘કેબીસી’ના બે એપિસોડ એક દિવસમાં શૂટ કરે છે. આ વખતે ૧૩ અઠવાડિયા માટે ૬૫ એપિસોડ શૂટ કરવાના છે. અત્યાર સુધી ૯ અઠવાડિયાના ૪૫ એપિસોડ શૂટ થઈ ગયા છે. મંગળવારના (૨૨ ઓક્ટોબર) રોજ આગામી શિડ્યૂઅલ શરૂ થશે. આ શૂટિંગ કેન્સલ કરાવવા માટેની કોઈ અપડેટ અમિતાભે આપી નથી. આથી એમ માનવામાં આવે છે કે મંગળવારે નક્કી કરેલાં સમયે શૂટિંગ શરૂ થશે.

Previous articleસેક્સને એન્જૉય કરવું જોઇએ પરંતુ એમા ભાવનાઓ પણ હોવી જોઇએઃ ઇલિયાના
Next articleપાક.બાળકીને વીઝા આપવા માટેની ગૌતમ ગંભીરની અપીલ વિદેશ મંત્રાલયે સ્વીકારી