પીપળી પાસે વાહન અકસ્માતમાં ભાવનગરના યુવાનનું મોત નિપજ્યું

969
bvn1932018-8.jpg

ભાવનગર શહેરના રૂવાપરી રોડ, લાન્ડા શેરી વિસ્તારમાં રહેતા અને હાલમાં છેલ્લા બે વર્ષથી ધંધા અર્થે અમદાવાદના શાહઆલમ પાકીઝા સોસાયટી, મકાન નંબર-૧પમાં રહેતા અને માલ-સામાન હેરફેર માટેના યુટીલીટી અશોક લેલેન્ડ ગાડીનું ડ્રાઈવીંગ કરતા નાસીરહુસૈનભાઈ મહંમદભાઈ ડેરૈયા (ઉ.વ.૪૦) ગત તા.૧૭ને શનિવારે મોડીરાત્રે ર થી ૪ના સુમારે પોતાની ગાડી લઈને દિવથી અમદાવાદ પોતાના ઘર તરફ જતા હતા તે વેળાએ પીપળી પાસે, આમંત્રણ હોટલની પાસે સામેથી પુરઝડપે આવતી સેલવાશ-સાવરકુંડલા એસ.ટી. બસના ચાલકે પોતાની બસ બેફિકરાઈથી ચલાવી નાસીરહુસૈનની ગાડીને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલ નાસીરહુસૈન ડેરૈયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
મૃતક નાસીરહુસૈનના મૃતદેહને આજરોજ રવિવારે બપોરે ભાવનગર તેમના નિવાસસ્થાન લાવવામાં આવેલ અને આજે સાંજે ભાવનગરના કંસારા કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવેલ. મૃતક નાસીરહુસૈનના એક દિકરો અરબાઝ (ઉ.વ.૧૮) અને દિકરી અલફીયા (ઉ.વ.૧ર) અને પત્ની શબાનાબેન સહિતના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

Previous articleતન સાથે મનની પણ કસોટી થાય તેવી જીવ સેવાનું સદ્દકાર્ય કરતી ‘અર્હમ’ સંસ્થા
Next articleસિહોર હાઈવે પર મોટા વાહનો કરે છે ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી