41મો ખેલકુદ મહોત્સવ નંદકુવરબા મહિલા કોલેજ ના યજમાન પદે યોજશે

838

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજ ના યજમાન પદે એમ કે બી યુનિવર્સિટીનો 41મો ખેલકૂદ મહોત્સવ આગામી તારીખ ૨૮/૨૯ નવેમ્બરના રોજ સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજવામાં આવશે.
આ ખેલકૂદ મહોત્સવમા દોડ, ગોળા ફેંક, બરછી ફેંક, લાંબી કૂદ, ઉચીકુદ, રીલે દોડ એવી સ્પર્ધા યોજવામાં આવશે. આ વિવિધ સ્પર્ધામાં 245 વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ભાગ લઇ રહ્યા છે. ૪૧મો ખેલકૂદ મહોત્સવ નો ઉદઘાટન સમારોહ 28/11/2019 ને ગુરુવારના રોજ સવારે 9:30 કલાકે સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે.
આ ઉદ્ઘાટન સમારોહમાં એમ કે બી યુનિવર્સિટી ના કુલપતિ મહિપતસિંહ ચાવડા, ભાવનગર સ્ટેટના યુવરાજ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ના કુલપતિ ડો.અર્જુન સિંહ રાણા, ભાવનગરના મેયર મનહરભાઈ મોરી, એસપી જયપાલસિંહ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ ખેલકૂદ મહોત્સવનું સમાપન સમારોહ તારીખ 29/11/2019 ને શુક્રવાર બપોરે 3:00 યોજવામાં આવશે.

Previous articleઆખલોલ જકાતનાકા પાસે બાઇક અને આઈસર વચ્ચે અકસ્માત થતા એક યુવાનનું મોત થયું હતું.
Next articleકિયારા હવે બોલિવુડની સૌથી વ્યસ્ત પૈકીની એક અભિનેત્રી