પ્રોડયુસર કંગના રાણાવત હવે ફિલ્મ નિર્માત્રીના રોલમાં હશે

413

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કંગના પોતાની શાનદાર એક્ટિંગ અને સાહસી બોલ્ડ નિવેદનના કારણે હમેંશા ચર્ચામાં રહે છે. હાલમાં તે તમિળનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાની લાઇફ પર બની રહેલી ફિલ્મ થલાઇવીને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે યાદગાર ભૂમિકા અદા કરી રહી છે. હવે તે પોતાના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મના બેનર હેઠળ બનનાર પ્રથમ ફિલ્મની જાહેરાત પણ કરી ચુકી છે. તે ફિલ્મનુ નિર્માણ કરનાર છે. આની સાથે જ તે હવે નિર્માત્રી પણ બની ચુકી છે. ફિલ્મનુ નામ અપરાજિત અયોધ્યા રાખવામાં આવ્યુ છે. ફિલ્મ રામ મંદિર પર આધારિત રહેનાર છે. હાલમાં જ રંગોલી ચંદેલે પોતાના નવા પ્રોડક્શન હાઉસ હેઠળ ફિલ્મો બનાવવા માટેની જાહેરાત કરી હતી. આ પહેલા પણ કંગના એક્ટિંગની સાથે મમિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીનુ નિર્દેશન કરી ચુકી છે. કંગના માત્ર એક્ટિંગ સુધી મર્યાદિત રહેવા માટે ઇચ્છુક નથી. તે ફિલ્મ નિર્માણની સાથે સાથે જુદા જુદા ક્ષેત્રમાં આગળ વધવા માટે ઇચ્છુક છે. તે ફિલ્મ નિર્માણના ક્ષેત્રે પણ તેની કુશળતા દર્શાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ફિલ્મ નિર્માત્રી તરીકે તેની પ્રથમ ફિલ્મ અપરાજિત અયોધ્યા તેની પ્રથમ ફિલ્મ રહેનાર છે. તેનુ કહેવુ છે કે રામ મંદિર એવો મામલો છે જેની સાથે તમામની ભાવના જોડાયેલી છે. આ નિર્ણયના કારણે દેશના ઇતિહાસને બદલી નાંખવામાં ભૂમિકા રહી છે. જેથી તે આ વિષયથી પ્રભાવિત થઇને ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં આગળ વધી રહી છે. અયોધ્યા મામલે પોતાની વાત રજૂ કરનાર કંગના રાણાવતે કહ્યુ છે કે તે નાસ્તિકમાંથી આસ્તિક બની ગઇ છે. રામ મંદિર ભારતની એકતા અને અંખડતાના દર્શન કરાવે છે. તેનુ કહેવુ છે કે રામ મંદિરના મામલાને હમેંશા નકારાત્મક રીતે રજૂ કરવાના પ્રયાસો થતા રહ્યા છે. ફિલ્મની પટકથા બાહુબલીના લેખક કેવી વિજેન્દ્ર દ્વારા લખવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે. મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીની પટકથા પણ તેના દ્વાર જ લખવામાં આવી હતી. એમ માનવામાં આવે છે કે આ ફિલ્મની પટકથા પણ દમદાર રહેનાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ફિલ્મ આગામી વર્ષે રજૂ કરવામાં આવી શકે છે. બીજી બાજુ કંગના રાણાવત હાલમાં જયલલિતાની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં લીડ રોલ અદા કરી રહી છે. હાલમાં જ ફર્સ્ટ લુક ફિલ્મને લઇને જારી કરવામાં આવ્યા બાદ તમામ લોકોમાં તેની ચર્ચાછે. તેની ચારેબાજુ પ્રશંસા પણ થઇ રહી છે. જયલલિતાના રોલને ન્યાય આપવા માટે તે ખુબ મહેનત કરી રહી છે. કંગનાની એક્ટિંગ કુશળતાની નોંધ તો તમામ નિર્માતા નિર્દેશકો લઇ ચુક્યાછે. થલાઇવી લુક ટ્રોલ થયા બાદ તેની ચર્ચા જોવા મળી રહી છે.

Previous articleહવે રાની કોલેજ વિદ્યાર્થીઓને અપરાધના સંબંધે જાગૃત કરશે
Next articleભાવનગર જિલ્લાકક્ષાના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પીથલપુર ખાતેથી પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા