અજાણ્યા પુરુષની લાશની ઓળખ આપવા અનુરોધ

453

નિરાધારનો આધાર આશ્રમમાં રહેતા મનસુખ નામના આશરે ૪૦ વર્ષની વય મર્યાદા ધરાવતા અજાણ્યા પુરુષની તબીયત ખરાબ થતા જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન તેનું મૃત્યું નિપજતા તેની ઓળખ મેળવવા તેના વાલી વારસદારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મરણ જનાર આ પુરુષના હાથ ઉપર જય માં ચામુંડા ત્રોફાવેલ છે. આ પુરુષના વાલી વારસદારોની ઓળખ આપવા ગીર સોમનાથ મરીન પોલીસ ફોન નં.૦૨૮૭૬-૨૩૨૧૦૧ પર સંપર્ક કરવા મરીન પોલીસ સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Previous articleઅભિષેક અને ઇલિયાનાની ફિલ્મનુ શુટિંગ શરૂ થઇ ગયુ
Next articleગુનાખોરીનું મુળ નિવારણ માતા પિતાના સંસ્કારો થકી થતું હોય છે -જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી શ્રી મનિન્દરસિંઘ પવાર