ભાવનગર સહિત પાંચ જિલ્લા માંથી તડીપાર થયેલ ઇસમને એવીસ્કુલ ગ્રાઉન્ડ થી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

549

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરના ધ્યાને એવી હકિકત આવેલ કે, ભાવનગર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમો ભાવનગર જીલ્લામાં પ્રવેશ કરે છે અને છાની છુપી રીતે રહે છે તેવી હકિકત મળતા આવા તડીપાર ઇસમોને ઝડપી પાડવા જીલ્લાના અધિકારીઓને સુચના આપેલ જેના ભાગ રૂપે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે ભાવનગર જીલ્લામાંથી છ માસ સુધી તડીપાર થયેલ ઇસમ સુરેશ ઉર્ફે સુરો કાવાભાઈ બારૈયા ઉ.વ.39 રહે.નવી જોગીવાડ બોરડીગેટ શિવાલી પાર્ક સોસાયટી ભાવનગર વાળાને એવીસ્કુલ ગ્રાઉન્ડ પાસે થી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ.યુસુફખાન પઠાણ,યોગીનભાઇ ધાંધલ્યા તથા પોલીસ કોન્સ. સી.બી.વાળા,પાર્થભાઈ પટેલ તથા ડ્રા.પો.કોન્સ.ભગીરથસિંહ રાણા જોડાયા હતા.

Previous articleશિશુવિહાર બુધસભાનાં સ્થાપક તખ્તસિંહજી પરમાર ની પુણ્યસ્મુતિ નિમિતે ગુજરાતી કવિતાનો કાર્યક્રમ યોજયો
Next articleબગોદરા પોલીસ સ્ટેશનના લુટના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો