ભાવનગર શહેર પોલીસ દ્વારા ભરતનગર પોલીસ સ્ટેશનની સામેના મેદાનમાં લોક દરબારનું આયોજન

690

ભાવનગર વિભાગના રેન્જ આઈ.જી.પી અશોકકુમાર યાદવના માર્ગદર્શન તથા ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા સીટી ડીવાયએસપી અમે.એચ.ઠાકરની હાજરીમાં આવતીકાલ તા.8.12.2019 ના રોજ સાંજના 4:30 વાગે ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનની સામેના મેદાનમાં ભુમાફિયાઓ જેઓ નિર્દોષ માણસોના મકાન પચાવી પાડે છે અને ગેરકાયદેસર ખાલી પડેલ જમીનો કબ્જો કરી લે છે. તેમજ મારી નાખવાની ધાક ધમકી આપી જમીન મકાન ખાલી કરાવવાનું કામ કરતા તેમજ ગેરકાયદેસર ઉંચા વ્યાજે પૈસા આપી લોકોને ત્રાસ આપતા વાયજખોરોના નિરાકરણ માટે પોલીસ દ્વારા લોક દરબાર નું આયોજન કરવામાં આવેલું છે.

તો ભાવનગર શહેરના ભોગ બનનાર નાગરિકો તથા જાગૃત નાગરિકો આવા ભુમાફિયાઓ તથા ગેરકાયદેસર ઉંચા વ્યાજે પૈસા આપી લોકોને ત્રાસ આપતા વ્યાજખોરોનો ત્રાસ હોય અથવા તેને લગતો કોઈ પ્રશ્નો હોય તો રજુવાત કરવા તેમજ આ માટેના માર્ગદર્શન માટે લોક દરબારમાં પધારવા ભાવનગર શહેર પોલીસ દ્વારા જાહેર જનતા ને આમંત્રણ આપવામાં આવે છે.

Previous articleખુનના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી ભાવનગર પોલીસ
Next articleક.પરા ખાતે મહાકાળી માતાજીનો છઠ્ઠો પાટોત્સવની ધામધૂમ પર્વક ઉજવણી કરાઈ