વિશુધ્ધાનંદ વિદ્યામંદિરનો અભિવ્યક્તિનો ઉજાસ-2020 અંતર્ગત વાર્ષિકૉત્સવ યશવંતરાય ખાતે યોજાય ગયો

495

વિશુધ્ધાનંદ વિદ્યામંદિરનો અભિવ્યક્તિનો ઉજાસ-2020 અંતર્ગત વાર્ષિકૉત્સવ 18/1 ને શનિવારના રોજ યશવંતરાય ખાતે યોજાય ગયો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ 18 કૃતિઓ રજૂ કરી હતી. જેમાં રાસ, ગરબા, નાટક,તલવારબાજી, અભિનયગીત, દેશભક્તિ ગીત, માઇમ જેવી સુંદર કૃતિઓ રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ મોદી, મંત્રી ડો.જે.પી.મૈયાણી, ટ્રસ્ટી ડો.ગિરીશભાઈ વાઘણી તથા વાલીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ ભાઈ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleએસ.ટી પાસેથી 42 નંગ બીયર સાથે એક ઈસમ ઝડપાયો
Next articleપાલીતાણા ટાઉન પોસ્ટેના પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા ત્રણ માસથી હરીયાણા રાજ્યનો નાસતો ફરતો આરોપી ઝડપાયો