સગીરા અપહરણના ગુન્હામા નાસતો ફરતો આરોપી પકડી પાડી ભોગબનનાર સગીરાને છોડાવતી પાલીતાણા ટાઉન પોલીસ.

554

મ્હેરબાન ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબના માર્ગદર્શન મુજબ તથા નાયબ પો.અધિ આર.એચ.જાડેજા સાહેબ નાઓએ પાલીતાણા ટાઉન એ-પાર્ટ ગુન્હા નં-૦૦૦૪૧/૨૦૨૦ ઇપિકો કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ ૧૮ મુજબના કામે ગુન્હાની ગંભીરતા લઇ સગીરાનુ અપહરણ કરનાર આરોપી ને તાત્કાલીક પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને પાલીતાણા ટાઉન પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.એમ.ચૌધરી સાહેબએ ટેકનીકલ સેલ ની મદદથી આરોપીનુ લોકેશ મેળવી તાત્કાલીક અમદાવાદ શહેર ઓઢવ ખાતે ડી-સ્ટાફના માણસો ની ટીમ રવાના કરી આરોપી તથા ભોગબનનાર શોધી કાઢવા ઓઢવ પોસ્ટે પો.ઇન્સ શ્રી આર.જી.જાડેજા તથા તેમની ટીમ ની મદદ મેળવી આરોપી હીતેશભાઇ રમેશભાઇ દવે ઉવ-૨૬ રહે- પ્લોટ નં-૪૯ શેરી નં-૧૦ નીર્મળનગર રેલ્વે પુલ પાસે ભાવનગર વાળાને પકડી પાડી મજકુરને પાલીતાણા ટાઉન પોસ્ટે ગુ.ર.ન નં-૦૦૦૪૧/૨૦૨૦ ઇપિકો કલમ ૩૬૩,૩૬૬ તથા પોસ્કો કલમ ૧૮ મુજબના ગુન્હા નાં કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે આમ પાલીતાણા ટાઉન પોલીસ ને અપહરણના ગુન્હામાં નાસતો ફરતો આરોપી પકડી પાડી સગીરાને છોડાવવામા સફળતા મળેલ છે

આ કાર્યવાહીમા પો.ઈન્સ એન.એમ.ચૌધરી સાહેબ તથા ડી-સ્ટાફ ના પો.હેડ.કોન્સ ભરતભાઈ ચૌહાણ તથા પો.કોન્સ તરુણભાઈ બારોટ તથા પો.કોન્સ જીગ્નેશભાઈ મારૂ તથા અમદાવાદ શહેર ઓઢવ પોસ્ટે ના પો.ઇન્સ આર.જી.જાડેજા તથા પો.સબ.ઇન્સ આર.એ.ઝાલા તથા હે.કોન્સ અજીતભાઇ ભીખાભાઇ તથા પો.કોન્સ કરણભાઇ ગીરધરભાઇ વાઘ વિગેરે કરેલ છે.

Previous articleબોટાદ જીલ્લા પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમનુ આયોજન કરાયુ
Next articleબોરતળાવ પોલીસ સ્ટેશનમાં ધમકી આપવાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.