ભાવનગર શહેરના બોરતળાવ માંથી 24 કલાકની જહેમત બાદ યુવાનની લાશ મળી

1900

ભાવનગર શહેરના બોરતળાવમાં આવેલ પુલ પરથી ગઈકાલ સાંજે એક યુવાનનો પાણીમાં ગરકાવ થયો હતો. પ્રાપ્ત થતી વિગતો મુજબ બોરતળાવ હરખા ભાભાની વાડીમાં રહેતો ગૌરાંગ પરેશભાઈ ત્રિવેદી ઉં.૨૧ નામનો કોલેજ કરતો યુવક ગઈકાલ સાંજે બોરતળાવ પુલ પર હતો તે દરમિયાન કોઇ કારણોસર પુલ પરથી પડી જતા તળાવમાં ગરકાવ થયો હતો. આ બનાવની જાણ ફાયર વિભાગને થતાં ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. અને આજે સવારથી જ ફાયર ટીમ શોધખોળ કરી હતી અને 24 કલાક ની જેહમત બાદ લાશ મળી હતી.

Previous articleઓસ્કારમાં પેરાસાઇટે બેસ્ટ ફિલ્મ માટેનો જીતેલ એવો
Next articleબનાસકાઠા જીલ્લાના થરાદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો