બનાસકાઠા જીલ્લાના થરાદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

747

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો જેસર પોલીસ સ્ટેશન વિસ્તાદરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાોન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં બાતમીરાહે હકિકત મળેલ કે, બનાસકાઠા જીલ્લાના થરાદ પોલીસ સ્ટેશનના પ્રોહી ગુ.ર.ન.૫૨૨/૨૦૧૯ ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી રવિભાઇ ઉર્ફે મુન્નો દાનુભાઇ મોભ રહે. પાલીતાણા વાળા જુના પાદર માં રહેતા કાળુભાઇ જોઘાભાઇ ના રહેણાક મકાન ઉપર આવેલ છે. તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ આવતા મજકરુ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા (૧) રવિભાઇ ઉર્ફે મુન્નો દાનુભાઇ મોભ રહે નારી કેન્દ્ર પાછળ પરીમલ સોસાયટી પાસે પાલીતાણા હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી સદર બાબતે જેસર પોલીસ સ્ટેશનમાં માં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહી .ગુર.ન. ૫૨૨/૨૦૧૯ મુજબનો ગુન્હો નોઘાયેલ હોય પો.સબ.ઇન્સ. શ્રી. થરાદ પો.સ્ટે. જાણ કરવા તજવીજ કરાવમાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ તિરૂણસિંહ સરવૈયા તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પો.કો. શકિતસિંહ સરવૈયા તથા કુલદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleભાવનગર શહેરના બોરતળાવ માંથી 24 કલાકની જહેમત બાદ યુવાનની લાશ મળી
Next articleઅનુભવના ઓટલે અંક: ૪૭ મારી પ્રેરણામૂર્તિ