અખંડ આનંદ ગૃપના સભ્યએ દિકરી ના જન્મદિવસે પશુઓને ઘાસચારો ખવડાવી જન્મદિવસની ઉજવણી કરી

487

અખંડ આનંદ ગૃપ ના સભ્ય અને રાણપુરની અર્બન ક્રેડીક સોસાયટી માં ફરજ બજાવતા સોહિલભાઈ રબારી એ તેમની દિકરી પ્રિયંશી ના જન્મદિવસ નિમિત્તે કોઈપણ જાતનો બીનજરૂરી ખર્ચ નહી કરીને રાણપુર પાંજરાપોળ માં એક ટ્રેક્ટર ઘાસચારો અબોલ પશુઓ માટે અર્પણ કરી જન્મદિવસની સાચા અર્થ માં ઉજવણી કરી હતી.આ શુભ કાર્યમાં દિકરી પ્રિયંશી તેમજ પ્રવિણભાઈ ભરવાડ,મુકેશભાઈ સભાડ સહીતના મિત્રો તેમની સાથે રહ્યા હતા.

તસવીર-વિપુલ લુહાર

Previous articleકોરોના વાયરસ ની મહામારી માં લોકો ને સાચું માર્ગદર્શન આપનાર બોટાદ જીલ્લાના પત્રકારો નું ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે સન્માન કરાયુ
Next articleખેડૂતોના મગફળીના વાવેતરનો પાકને 40% જેટલું નુક્સાન