બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીના રહીશો અને આજુબાજુ ના દુકાનદારો દ્રારા આગામી દિવસોમાં વરસાદ સારો થાય તે માટે ફાળો એકઠો કરી કુતરાઓ માટે લાડવા બનાવવામાં આવ્યા હતા.વૃંદાવન સોસાયટીના રહીશો એ પોતાની હાથે 6 મણ લાડવા બનાવી રાણપુર ના દરેક વિસ્તારમાં તેમજ આજુબાજુના ગામડાઓમાં લાડવા મોકલવામાં આવ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર