૧૯૦૦ કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ ટર્મિનલ ભાવનગરમાં બનશે

746

વિશ્વ ફલક પર હવે ગુજરાતનું નામ ઝળહળશે. વર્લ્ડ મેરિટાઈમ મેપ પર હવે ગુજરાતીઓને ગર્વ થાય તેવા એક અહેવાલ સામે આવી રહ્યા છે. ભાવનગરમાં વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે રાજ્યના સીએમ રૂપાણીએ સીએનજી ટર્મિલન સ્થાપવા માટેની મંજૂરી આપી છે. ભાવનગરમાં વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ પ્લાન્ટ પ્રતિ વર્ષ ૧૫ લાખ ટન ક્ષમતા ધરાવતો સીએનજી ટર્મિનલ હશે. પ્રથમ તબક્કામાં રૂપિયા ૧૩૦૦ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે. ત્યારબાદ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેક્ટ તરીકે ભાવનગરમાં આ પ્રોજેક્ટ આકાર પામશે. અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ વિકસાવવામાં આવશે. ટર્મિનલ કાર્યરત થયા બાદ વાર્ષિક કાર્ગો કેપેસિટી પણ વધશે. વાર્ષિક કાર્ગો કેપેસિટી ૯ મિલીયન મેટ્રિક ટન થશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે ભાવનગર ખાતે વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના સીએમ વિજય રૂપાણીએ ભાવનગર ખાતે સીએનજી ટર્મિનલ સ્થાપવા માટે આજે વિધિવત રીતે મંજૂરી આપી દીધી છે.
આ સાથે જ આખા વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ સ્થાપનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ ફોર સાઇટ ગ્રુપ-કોન્સોર્રીયમ-(ફોર સાઇટ ગૃપ પદ્મનાભ મફતલાલ ગૃપ અને નેધરલેન્ડ સ્થિત બોસ્કાલિસ)ને પ્રોજેકટ ડેવલપર તરીકે મંજૂરી આપશે. આ પ્રોજેક્ટ બનતા જ ગુજરાતમાં ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત પોર્ટ કાર્ગો ક્ષેત્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવશે. આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કામાં રૂ. ૧૩૦૦ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે. પ્રોજેકટ પૂર્ણ થતાં કુલ ૧૯૦૦ કરોડનું મૂડીરોકાણ સીએનજી ટર્મિનલ પ્રોજેકટમાં થશે. રાજ્યના સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેકટ તરીકે ભાવનગરમાં આ સીએનજી ટર્મિનલ આકાર પામશે. આ પ્રોજેક્ટમાં પ્રતિ વર્ષ ૧૫ લાખ ટન ક્ષમતા ધરાવતું સીએનજી ટર્મિનલ બનશે.
પ્રતિ વર્ષ ૪૫ લાખ ટન ક્ષમતાનું લીકવીડ કાર્ગો ટર્મિનલ, કન્ટેઇનર અને વ્હાઇટ કાર્ગો ટર્મિનલ તથા રો-રો ટર્મિનલ વિકસાવવાનું મહત્વાકાંક્ષી આયોજન પણ કરવામાં આવ્યું છે. શિપબ્રેકીંગ, શિપ રિસાયકલીંગ ઊદ્યોગમાં વિશ્વના સૌથી મોટા શિપબ્રેકીંગ યાર્ડ તરીકે પ્રખ્યાત અલંગ-ભાવનગરની ખ્યાતિમાં વધુ એક યશકલગી બનશે. ભાવનગર પોર્ટ વિકસાવવા ચેનલ અને પોર્ટ બેઝિનમાં ડ્રેજિંગ, બે લોક ગેટસનું બાંધકામ અને કિનારા ઉપર સીએનજી ટ્રાન્સપોર્ટેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ વિકસાવવામાં આવશે.

Previous article૧૦ મી સપ્ટેમ્બર વિશ્વ આપધાત નિવારણ દિવસ
Next articleડીવાયએસપી તરીકે શફીન હસને ભાવનગરમાં આજથી ચાર્જ સંભાળ્યો