શહેર કોંગ્રેસ સોશ્યલ મિડીયા વિભાગ દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કરાયું

954

ભાવનગર શહેર કોંગ્રેસ સોશ્યલ મિડીયા ડિપાર્ટમેન્ટ દ્વારા રવિવારે ગરીબ વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડાનું વિતરણ કાર્યક્રમ ગલાભાઈ મોતીભાઈ મેમોરીયલ હોલ વણકર સોસાયટી, આનંદનગર ખાતે યોજાયો. જેમાં કુલ ૧૭પ કરતા વધારે વિદ્યાર્થીઓએ લાભ લીધેલ. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સોશ્યલ મિડીયા ડિપાર્ટમેન્ટના ચેરમેન હેમાંગભાઈ રાવળ, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ડેલીગેટ મિલનભાઈ કુવાડીયા, ઉત્તરકૃષ્ણનગર વોર્ડ નં.૪ના કોર્પોરેટર ભરતભાઈ બુધેલીયા, રામુબેન વાજા, આનંદભાઈ બારૈયા, જીવરાજભાઈ અંજારા, નીતિનભાઈ સરવૈયા, નૃપેશભાઈ જોશી, રાજેશભાઈ રાઠોડ, રૂષીભાઈ પંડયા તથા ટીમ મેમ્બરો, વિસ્તારના આગેવાનો જોડાઈને બાળકોનો ઉત્સાહ વધારેલ છે.

Previous articleજાફરાબાદ તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન અપાયું
Next articleપાલીતાણામાં કેરીનાં રસનાં વેપારીઓને ત્યાં ફુડ વિભાગ દ્વારા દરોડાથી ચકચાર