સિહોર કંસારા બજારની ઘરફોડ ચોરીનો પર્દાફાશ, આરોપી ઝબ્બે

1511

ભાવનગર એસઓજી શાખાના હેરશભાઈ ઉલવા તથા નીતીનભાઈ ખટાણાને મળેલ સંયુકત બાતમી આધારે સિહોર કંસારા બજારમાં તાંબા પીતળના વાસણની દુકાનમાં તા. ૩૧-૧રના રોજ રાત્રીના સમયે થયેલ ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે આરોપી દશરથસિંહ ઉર્ફે દુશ હરીસિંહ પરમાર (ઉ.વ.રર) રહેવાસી ખારા કુવા ઉપર, દેવ શેરી, મોટા ચોક સિહોર વાળાને સિહોર મોટા ચોકમાંથી પકડી પાડેલ હતો. આરોપી પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ તાંબાના હાન્ડા નંગ-૪ કિ.રૂા. ૬,૦૦૦/- પીતળની ગોળી નંગ-૩ કિ.રૂા. ૭૦૦/-નો કબ્જે  કરવામાં આવેલ છે. તેની વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી સિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આમ સિહોરમાં પાંચ દિવસ થયેલ ઘરફોડ ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.

Previous articleભાવનગર જિલ્લા યુવા ભાજપ કારોબારી બેઠક
Next articleસિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનો પ્રારંભ કરાવતા રૂપાણી