આત્મીય યુવા મહોત્સવમાં લાખો ભાવિકો ઉમટયા

1165

યોગી ડિવાઈન સોસાયટીના પરમા અધ્યક્ષ અને ભગવાન સ્વામીનારાયણી કલ્યાણ પરંપરાના વર્તમાન જયોર્તીધર પુ. પુજય હરીપ્રસાદ સ્વામીજીના ૮પમાં પ્રગાટયદીન નિમિત્તે આજે ભાવનગરમાં આત્મીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિદેશના દોઠ-લાખ ઉપરાંત હરીભકતો ઉપસ્થિત રહ્યા હતાં. અને પુજય હરીપ્રસાદ સ્વામીજીના સત્સંગનો લાભ મેળવ્યો હતો.

આત્મીય સમાજ દ્વારા દર વર્ષે પુજય હરીપ્રસાદ સ્વામીજીના પ્રાગટય ઉત્સવની વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે ૬, જાન્ય્‌આરીના રોજ પુજય હરીપ્રસાદ સ્વામીજીના ૮પમાં પ્રાગટયદિનની ઉજવણી નિમિત્તે ભાવનગરમાં આત્મીય યુવા મહોત્સવનું આયોજન સીદસર શાંતીલાલ શાહ ઈન્જીયરીંગ કોલેજની સામે વિશાળ જગ્યામાં આયોજન કરવામાં આવ્યું હતું.  જેની છેલ્લા ૧ મહિનાથી તૈયારીઓ કરાઈ રહી હતી. મહોત્સવમાં ૧૬૦ બાય ૬૦નું એલટી સ્કીન મુકવામાં આવ્યું હતું જે રાજયમાં સૌથ્‌ મોટુ સ્ક્રીન છે. આજે સાંજના ૬ વાગ્યાથી મહોત્સવનો પ્રારંભ થયો હતો. જેમાં મહાઆરતી, મહાપ્રસાદ બાદ પ્રવચનો કરવામાં આવ્યા હતાં.

આ મહોત્સવમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ઉપરાંત મેયર, મનભા મોરી, ચેરમેન, યુવરાજસિંહ ઈન્ચાર્જ કુલપતિ, ગીરીશભાઈ વાઘાણી, એસપી પ્રવિણ માલ તેમજ રાજકીય આગેવાનો સંતો તેમજ દેશ-વિદેશના હરીભક્તો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે જીતુભાઈ વાઘાણી ઉપરાંત પ્રેમ સ્વરૂપ સ્વામી હરી પ્રકાશ સ્વામી, જ્ઞાનસ્વરૂપ સ્વામી, ગુરૂપ્રસાદ સ્વામી સહિતે પ્રવચનો કર્યા હતાં. ત્યાર બાદ પુજય હરી પ્રસાદ સ્વામીએ પ્રવચન કર્યું હતું. જેમાં યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનો સંદેશો આપ્યો હતો. સ્વામીજીને યુવાનો પ્રત્યે લગાવ હોઈ ભારતને આર્થિક સધ્ધરતા નહીં પરંતુ પવિત્ર, પ્રમાણીક અને આત્મીય વિવેકી યુવાનો બને તેવા પ્રયાસો ચલાવવા રહ્યા છે. પરિવારમાં સમાજમાં તેમજ રાષ્ટ્રમાં આત્મીયતાનો સેતુ બંધાય તે માટે વ્ય્સનોના વમળમાં ફસાયેલા યુવાનો તેમાંથી મુક્ત થઈ મુલ્યવાન અને ચરિત્ર વાન જીવન જીવે તે માટે યુવાનોને સાચો રાહ બતાવ્યો  હતો.

Previous articleઆરટીઓ રોડ પર ટ્રક અડફેટ બાઈક ચાલકનું મોત
Next articleઘાંચી સમાજ સમુહ શાદી સમારોહ યોજાયો