છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩ હજાર નવા કેસ નોંધાયા

103

ડેટા અનુસાર અત્યાર સુધીમાં કુલ ૩૩૮૦૦૯૨૫ લોકો ચેપ મુક્ત થયા છે, જ્યારે મૃત્યુ દર લગભગ ૧.૩૪ ટકા છે
નવી દિલ્હી, તા.૧૧
દેશમાં જીવલેણ કોરોનાવાયરસનો પ્રકોપ ચાલુ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૧૩ હજાર ૯૧ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ૩૪૦ લોકો મૃત્યુ પામ્યા હતા. હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા એક લાખ ૩૮ હજાર ૫૫૬ છે, જે છેલ્લા ૨૬૬ દિવસમાં સૌથી ઓછી છે. જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં આજે કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને ત્રણ કરોડ ૪૪ લાખ ૧ હજાર ૬૭૦ થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને ૧ લાખ ૩૮ હજાર ૫૫૬ થઈ ગઈ છે. જ્યારે આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૪,૬૨,૧૮૯ થઈ ગઈ છે. દેશમાં સતત ૩૪ દિવસ સુધી કોવિડ-૧૯ના દૈનિક કેસો ૨૦ હજારથી ઓછા છે અને ૧૩૭ દિવસથી ૫૦ હજારથી ઓછા રોજના નવા કેસ સામે આવી રહ્યા છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા કુલ કેસના લગભગ ૦.૪૧ ટકા છે. આ દર માર્ચ ૨૦૨૦ પછી સૌથી નીચો છે. ડેટા અનુસાર અત્યાર સુધીમાં કુલ ૩,૩૮,૦૦,૯૨૫ લોકો ચેપ મુક્ત થયા છે, જ્યારે મૃત્યુ દર લગભગ ૧.૩૪ ટકા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના ૧૧૦ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે ૫૭ લાખ ૫૪ હજાર ૮૧૭ ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના ૧૧૦ કરોડ ૨૩ લાખ ૩૪ હજાર ૨૨૫ ડોઝ આપવામાં આવ્યા છે. દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. ૧૦ નવેમ્બરે રાજ્યમાં કોરોનાના નવા ૪૨ કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૩૬ દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૫૨૧ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૭૫ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી ગઈકાલે એક પણ મોત થયું નથી. ગઈકાલે ૪,૦૯,૭૨૭ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં ૧૬, સુરત કોર્પોરેશનમાં ૫, વલસાડમાં પાંચ, વડોદરા કોર્પોરેશનમાં ચાર, જૂનાગઢમાં બે, મોરબીમાં બે, રાજકોટ કોર્પોરેશનમાં બે, આણંદમાં એક, ભરૂચમાં એક, ગીર સોમનાથમાં એક, જામગર કોર્પોરેશનમાં એક, કચ્છમાં એક, અને તાપીમાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો.

Previous articleભારત ચીન, યુકે સહિતના લોકોને ઈ-વિઝા નહીં આપે
Next articleદેશની ક્ષમતાનો આધાર આધ્યાત્મિક શક્તિ પર છે : મોહન ભાગવત