ઇન્ડોનેશિયા ભૂકંપ : મૃતાંક વધી ૧૪૩૦, ઘણા લાપત્તા

998

ઇન્ડોનેશિયામાં વિનાશકારી ભુકંપ અને સુનામી બાદ મોતનો આંકડો સતત વધી રહ્યો છે. વધુ મૃતદેહ હાથ લાગતા મોતનો આંકડો ૧૪૩૦ સુધી પહોંચી ચુક્યો છે.

ભૂકંપ અને સુનામીના પાંચ દિવસ બાદ પણ બચાવ અને રાહત ટુકડી સક્રિય થયેલી છે. જો કે, હવે જીવિત લોકો મળે તેવી શક્યતા ઓછી છે. ૧૦૦ લોકો હજુ પણ લાપત્તા છે. ભુકંપ અને સુનામીના લીધે ૭૦૦૦૦ લોકો ઘરવગરના થઇ ચુક્યા છે. ૨૫૦૦ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. બીજી બાજુ સુનામી અને ભૂકંપ પ્રભાવિત ઇન્ડોનેશિયાની મદદ માટે ભારત દ્વારા પણ ઓપરેશન સમુદ્રમૈત્રી હાથ ધરવામાં આવ્યું છે. ભારતે બે વિમાનો અને નૌકા સેનાના ત્રણ જહાજો રવાના કર્યા છે.

વડાપ્રધાન મોદી અને ઇન્ડોનેશિયાના પ્રમુખ જોકો વચ્ચે ઓક્ટોબરમાં ફોન પર વાતચીત થયા બાદ આ ઓપરેશન શરૂ કરાયું છે. રાહત સામગ્રી લઇને આ વિમાનો પહોંચ્યા છે. થોડાક દિવસ પહેલા જ ઇન્ડોનેશિયામાં ૭.૫ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યા બાદ સુનામી ત્રાટકતા ભારે નુકસાન થયું હતું. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.  કેટલાક વિસ્તારમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની તંગી પણ દેખાઈ રહી છે. હળવા આંચકા હજુ પણ આવી રહ્યા છે. ઇન્ડોનેશિયા સૌથી વધારે ભૂકંપ પ્રભાવિત વિસ્તાર તરીકે છે. ડિસેમ્બર ૨૦૦૪માં પશ્ચિમી ઇન્ડોનેશિયાના સુમાત્રામાં ૯.૩ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો ત્યારબાદ સુનામીના કારણે હિંદ મહાસાગર ક્ષેત્રના અનેક દેશોમાં ૨૨૦૦૦૦ લોકોના મોત થયા હતા. દ્વિપમાં શુક્રવારના દિવસે આવેલા ભૂકંપ બાદ અનેક ઇમારતોમાં પાણી ઘુસી ગયા હતા. ૩૫૦૦૦૦ લોકોની વસ્તીવાળા આ દરિયાકાંઠાના શહેર પાલુમાં તમામ મકાનો નાશ પામ્યા હતા.  ફ્રાંસ, દક્ષિણ કોરિયા અને અન્ય દેશોના નાગરિકો લાપત્તા થયેલા છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ઇન્ડોનેશિયામાં આંતરરાષ્ટ્રીય રેડક્રોસના પ્રમુખ જેલફેંડે કહ્યું છે કે, પાલુમાં અભૂતપૂર્વ નુુકસાન થયું છે. દૂરગામી વિસ્તારોમાં બચાવ ટુકડી હજુ પણ પહોંચી શકી નથી. આવી સ્થિતિમાં નુકસાનનો અંદાજ હજુ મેળવવામાં આવી શકે છે. હજારો ઘરો અને ઈમારતોને નુકસાન થયું છે. કેટલાક શોપીંગ મોલ, મસ્જિદો અને ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. સાવચેતીના પગલારૂપે પાલુ એરપોર્ટને હાલમાં બંધ રાખવામાં આવ્યો છે.શક્તિશાળી સુલાવેસી ભૂકંપ બાદ સુનામી ત્રાટકતા અફડાતફડી મચી ગઈ હતી.મધ્ય સુલાવેસીના ડોગલા વિસ્તારમાં ૧૦ કિલોમીટર જમીનની નીચે ભૂંકપનો આંચકો આવ્યો હતો. ભૂકંપના કારણે સુનામીની અસર થઇ હતી. આ વર્ષની શરૂઆતમાં જ લોંમબોક દ્વિપમાં ભૂકંપમાં સેંકડો લોકોના મોત થયા હતા. ભુકંપનું કેન્દ્ર પાલુ શહેરથી ૭૮ કિલોમીટરના અંતરે સ્થિત હતું. પાલુ મધ્ય સુલાવેસી પ્રાંતના પાટનગર તરીકે છે. ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે, તેની અસર અહીંથી આશરે ૯૦૦ કિલોમીટર દૂર સુધી જોવા મળી હતી. પાલુના દક્ષિણમાં આશરે ૧૭૫ કિલોમીટરના અંતરે સ્થિત તોરાજાના નિવાસીએ કહ્યું હતું કે, ભૂકંપના પ્રચંડ આંચકા અનુભવાયા હતા.

Previous articleICICIના એમડી તરીકે ચંદા કોચરે આખરે રાજીનામુ આપ્યું
Next articleએસ-૪૦૦ મિસાઇલ ડીલ અંગે આજે ફેંસલો થઇ શકે