પૂર્વ મેયર નિમુબેન સહિત ૪ની અમરેલી લોકસભા સીટના પ્રભારી તરીકે નિમણુંક

2083

ર૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા જોરદાર તૈયારીઓ શરૂ કરાઈ છે. રાજ્યભરના જિલ્લાઓમાં પ્રભારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજે પ્રદેશ ભાજપ દ્વારા અમરેલી લોકસભાના પ્રભારી તરીકે ભાવનગરના પૂર્વ મેયર નિમુબેન બાંભણીયા સહિત ચાર આગેવાનોની નિમણુંક કરવામાં આવી હતી.
લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા પ્રદેશ કક્ષાએથી માઈક્રો પ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે. દરેક બેઠકો માટે પ્રભારીઓની નિમણુંક કરાઈ રહી છે. જેઓ જે-તે બેઠક માટે કાર્યકરોને સાથે રાખીને ભાજપનો વિજય થાય તેવા પ્રયાસો અને કામગીરી હાથ ધરશે. ત્યારે આજે ભાજપના પ્રદેશ કક્ષાએથી ભાવનગરના પૂર્વ મેયર નિમુબેન બાંભણીયા ઉપરાંત પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડીયા, સુરતના પૂર્વ ધારાસભ્ય જનકભાઈ બગદાણાવાળા તથા રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડની અમરેલી લોકસભા બેઠકના પ્રભારી તરીકેની જાહેરાત કરવામાં આવતા સ્થાનિક ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને તેઓને શુભેચ્છા પાઠવી હતી.

Previous articleભાજપ આગેવાનોએ સાંભળી મોદીની મન કી બાત
Next articleગુસ્તાખી માફ