વિદ્યામંજરી સ્કૂલ સિહોર ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસ ઊજવાયો

1302

સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે તા. ૧૪મી ફેબ્રુઆરીના રોજ જ્યારે પશ્ચિમી સંસ્કૃતિનાં લોકો આ દિવસને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવે છે ત્યારે શાળામાં આ દિવસની ઊજવણી વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે કરાઈ હતી. આ દિવસે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં માતા-પિતાનું પૂજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યુ હતું. સૌપ્રથમ વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું કૂમ-કૂમ તિલક કર્યુ હતુ. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાનાં માતા-પિતાને હાર પહેરાવ્યો અને તેમના ચરણોને ધોઈને, આરતી ઉતારીને માતા-પિતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. માતા-પિતાએ, શિક્ષકોએ આ દિવસને વેલેન્ટાઈન ડે તરીકે નહીં પરંતુ માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવાનાં વિદ્યાર્થીઓ પાસે સંકલ્પ લેવરાવ્યા હતા.

Previous articleકાશ્મીરની આતંકી ઘટના અંગે સંવેદના વ્યકત કરતા શાસ્ત્રી રાજેન્દ્રપ્રસાદ ભટ્ટ
Next articleએસ.વી. પ્રા. શાળાએ વેલેન્ટાઈન-ડેએ માતૃપિતૃની વંદના કરી