ઘોઘામાં હઝરત રોશન ઝમીર ચોભાપીર દાદાનો ઉર્ષ મુબારક શનિવારે ઉજવાશે

1462

ભાવનગર જિલ્લા ના ઘોઘા ગામે ખજૂરીયાચોક,જૈન દેરાસર પાસે આવેલ હજરત રોશન ઝમીર ચોભાપીર દાદા નો ઉર્ષ તા.૧૪/૦૩/ર૦૨૦ ના રોજ ધામધુમથી ઉજવાશે.
જેમાં ચાદર શરીફ અસરની નમાઝ બાદ મેમણ મસ્જિદ,દાણાપીઠ થી દરગાહ શરીફ સુધી વાજતે ગાજતે લઇ જવામાં આવશે ત્યાર બાદ આમ ન્યાઝ ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે ત્યાર બાદ રાત્રે ૯-૦૦ કલાકે ગુજરાત ના ખ્યાતનામ કવ્વાલ સાજીદ ખ્યાર,નાઝીયા શેખ,ફારૂક શેખ,ઇમરાન હાજી તેમજ ખ્યાતનામ રિધમિષ્ટો રહીશ હાજી,અક્રમ દેખૈયા,શબ્બીર હાજી નો કવ્વાલી-ગઝલ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તો આ મુબારક પ્રસંગ માં પધારવા તમામ હિન્દૂ-મુસ્લિમ ભાઈયો બહેનો ને રામ-રહીમ ગ્રુપ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે

Previous articleકોરોના વાયરસ : મોતનો આંક વધીને ૪,૬૩૪ સુધી પહોંચ્યો
Next articleસરકારી એન્જીનીયરીંગ કોલેજના અધ્યાપકોએ કાળા કપડા પહેરી ઉગ્ર દેખાવો, સુત્રોચ્ચારો કર્યા