ભાવનગર : ૩  પુત્રોની હત્યા કરતો પોલીસ કોન્સ્ટેબલ પિતા

2694

ભાવનગર શહેરના વિદ્યાનગરમાં આવેલી નવી પોલીસ લાઈનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલે ઘરના અંગત ઝઘડામાં આવેશમાં આવી તિક્ષ્ણ હથિયાર વડે ગળા કાપી તેના જ ત્રણ પુત્રોની કરપીણ હત્યા કરી હતી.

આ અંગેની જાણવા મળતી વિગત અનુસાર નવી પોલીસ લાઈનમાં પોલીસ કોન્સ્ટેબલ સુખદેવ નાઝાભાઈ શિયાળએ  ઘરના અંગત ઝઘડામાં આવેશમાં આવી તેના ત્રણ પુત્ર ખુશાલ, ઉદ્ધવ અને મનોનીતની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકીં કરપીણ હત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતા ડીઆઈજી અશોક કુમાર યાદવ અને  અને એસપી રાઠોડ ઘટના સ્થળે દોડી ગયા હતાં. આ ઘટનાની પોલીસ બેડામાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ હતી.

Previous articleઆવતીકાલથી શહેરમાં ઠેર-ઠેર ગણેશઉત્સવનો પ્રારંભ
Next articleફિલ્મ ધ ઝોયા ફેક્ટરમાં સલમાન ખાનનો કેમિયો હશે