કુંભારવાડામાં એક સાથે પાંચ ગાયના મોતથી માલધારીઓમાં વ્યાપ્યો રોષ

262

શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા માલધારીની એકી સાથે ૪ ગાય મોતને ભેટતા આ વિસ્તારના અન્ય મળી તમામ માલધારીઓ નારી રોડ, દસ નાળા નજીકની ખુલ્લી જગ્યામાં જ્યાં દરરોજ ગાયો ચરતી હોય છે ત્યાં તપાસ કરતા વધુ એક ગાય મૃત હાલતે મળી આવી હતી. ગાયના મોતનું આ વિસ્તારમાં કેટલીક કંપનીઓ દ્વારા છોડાતા ઝેરયુક્ત પાણી ઉપરાંત ટેમ્પલ બેલ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી એકત્રીત કરાયેલા કચરાનો નિકાલ આ સ્થળે કરાતો જે કચરો ખાવાથી ગાયના મોત થયાના આક્ષેપ સાથે માલધારીઓએ રોષ વ્યક્ત કરી સંબંધિત તંત્ર દ્વારા આ અંગે સત્વરે યોગ્ય કરવા માંગણી કરી હતી. પાંચ ગાય મૃત્યુ પામી હોવા ઉપરાંત ૪ ગાયોની સ્થિતિ ગંભીર હોવાનું પણ માલધારીઓએ જણાવ્યું હતું.

Previous articleઓન લાઈન મોકલાવેલ ક્યુઆર કોડ સ્કેન કરતા સાવચેત રહેજો : ૧.૨૨ લાખ ઉપડી ગયા
Next articleશિક્ષકને કોરોના થતાં શાળાના વિદ્યાર્થીઓને તાબડતોડ રજા આપી