ખાંભા ગામે મોક્ષધામ મંદિરે સંતવાણી કાર્યક્રમ

149

આજના જમાનામાં ભૂત ,ભુવા અને અંધશ્રદ્ધામાં રાચતા આ ઘોર કળયુગમાં ખાંભા ગામના યુવાનો ની મોક્ષધામ સેવા સમિતિ દ્વારા છેલ્લા એક માસ થી સ્મશાનમાં રાતદિવસ મહેનત કરી સ્મશાનને મોક્ષધામ મંદિર બનાવેલ છે. જેના લાભાર્થે ભવ્ય સંતવાણી કાર્યક્રમ નું આયોજન મોક્ષધામ મંદિરમાં જ તાઃ-૦૯/૦૮/૨૦૨૧ ને રવિવારના રોજ યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં કલાકાર તરીકે હંસાગીરી માતાજી , બલરામબાપુ, સહદેવસિંહ બારડ, અલ્પેશ મકવાણા, લક્ષમણભાઈ બોલિયા અને રમેશભાઈ ભગતે શ્રી ચામુંડા સાઉન્ડ ના સથવારે સંતવાણી ની રમઝટ બોલાવી અલખની આરાધના કરેલ. ઉપરોક્ત કાર્યક્રમ માં ખાંભા તેમજ આજુબાજુ ના ગામનાં લોકો ઉપસ્થિત રહી સંતવાણી નો લાભ લીધેલ છે. આપણા  સમાજમાં એક રૂઢી છે કે સ્ત્રીઓ ક્યારેય સ્મશાનમાં જતા નથી તેના બદલે આ કાર્યક્રમમાં ગામમાંથી મોટી સંખ્યામાં બહેનો, દીકરીઓ ઉપસ્થિત રહી મોક્ષધામ મંદિરને સાચા અર્થમાં  મંદિર બનાવ્યુ હતું.  તેમજ આ કાર્યક્રમ ને સફળ બનાવવા મોક્ષધામ સેવા સમિતિ ના કાર્યકરોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

Previous articleબક્ષીપંચ મોરચાના હોદ્દેદારોનું સન્માન
Next articleઈસરોનો EOS-03 ઉપગ્રહ આંશિક રીતે નિષ્ફળ રહ્યો