પ્રોહીબીશનના ગુનામાં ફરાર બુટલેગર ઝડપાયો

1030

વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં ફરાર વલ્લભીપુરના શખ્સને એસઓજી ટીમે ઝડપી લીધો હતો.

ભાવનગર એસઓજી શાખાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ ૬પ એ, ઈ ૮૧, ૧૧૬બીના ગુન્હામાં વોન્ટેડ આરોપી જીતેન્દ્રસિંહ ગીરવાનસિંહ પરમાર રહેવાસી વલ્લભીપુર જિલ્લો ભાવનગરવાળાને નારી ચોકડી પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.

Previous articleચોરી કરેલ એકટીવા સાથે ભરતનગરનો શખ્સ ઝડપાયો
Next articleકુંઢેલી ગામે તેજસ્વી છાત્રોને ઈનામ વિતરણ કરાયું