ભાવનગર તથા બોટાદ જિલ્લા ખેડુત આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને સંબોધી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ છે. જેમાં જણાવ્યું છે કે પાસ કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા ૧૨ દિવસથી ખેડુતો અને સમાજ માટે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ત્યારે ભાવનગર તથા બોટાદ જિલ્લાના ખેડુત પાસ કન્વીનરના આ કાર્યને બિરદાવી તેને સંપૂર્ણ ટેકો જાહેર કરી આ મામલે સરકાર સત્વરે ધ્યાન આપે અને પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવે તેવી માંગ પણ કરી છે.