અખિલેશ યાદવે પોતાના તમામ સંબંધીઓ સાથે ઠગાઇ કરી છે : અમરસિંહ

1076

સમાજવાદી પાર્ટી માટે માથાનો દુખાવો બનેલા અમરસિંહે સપા અધ્યક્ષ પર સણસણતા આરોપ લગાવ્યો છે. અમરસિંહે કહ્યુ કે, અખિલેશ યાદવે પોતાના તમામ સંબંધી સાથે ઠગાઈ કરી છે. પોતાના પિતાનું અપમાન કરનાર વ્યક્તિનું જનમાનસમાં કોઈ સ્થાન હોતુ નથી. અમરસિંહે અખિલેશ યાદવ પર સમાજવાદી પાર્ટીમાં તુષ્ટીકરણની રાજનીતિનો આરોપ લગાવ્યો છે. અમરસિંહે કહ્યુ કે, સમાજવાદી પાર્ટીમાં જ્યાં સુધી રામગોપાલ જેલા ખલનાયક રહેશે ત્યા સુધીમાં સમાજવાદી પાર્ટીમાં વિઘટન થવાનું છે. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન અમારા પરિવાર વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરે છે. જેની સામે કાર્યવાહી કરવાની માગ અમરસિંહે કરી છે.

Previous articleશાહ-નીતિશકુમાર વચ્ચે સીટો મુદ્દે બેઠક યોજાઈ,દશેરા બાદ જાહેરાતની સંભાવના
Next articleકિમ મિસાઇલ સેન્ટર બંધ કરવા રાજી : મૂન