સિહોર મારૂ કંસારા જ્ઞાતિ દ્વારા ઈનામ વિતરણ સમારંભ યોજાયો

758

સિહોર મારૂ કંસારા જ્ઞાતિ તેમજ કેળવણી મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓન ઈનામ વિતરણ તેમજ વિવિધ સંસ્થામાં નિમણુંક થયેલ મહાનુભાવોનો સત્કાર સમારોહ રવિવારના રોજ મારૂ કંસારા જ્ઞાતિ વાડી ખાતે યોજાયેલ. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ડો. દેવાંશુભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓ વાલીઓને પરરિણામલક્ષી માર્ગદર્શન આપેલ. આ સમારોહ મુકુંદભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જ્ઞાતિના મોવડી મંડળના ક્રિષ્નાભાઈ પવાર તેમજ સમાજના પ્રમુખ નલીનભાઈ પવાર, ઉપપ્રમુખ હરિશભાઈ પવાર, મેહશ પવાર, મંત્રી રાજુભાઈ બુધ્ધ ભટ્ટી તેમજ ટ્રસ્ટીગણ કારોબારી દ્વારા તેમજ સમાજની ઉપસ્થિતમાં ભવ્ય ઈનામ વિતરણ કાર્ય્ક્રમ યોજાયેલ.

Previous articleકુંભારવાડામાં બે મેલડી માતાના મંદિરમાં દાનપેટીની ચોરી : એકમા નિષ્ફળ પ્રયાસ
Next articleબે ચોરાઉ મોટર સાયકલ સાથે સાંઢીયાવાડનો અનું ઝડપાયો