દશાપાલીવાલ બ્રહ્મસમાજ આયોજિત ,શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે 213 બટુકો એ યજ્ઞોપવિત ધારણ કરી

64

દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ સમુહ યજ્ઞોપવિત સમિતિ પાલીવાલ સંસ્કાર સેવા ટ્રસ્ટ તથા પાલીવાલ બ્રહ્મ સમાજ ભાવનગર દ્વારા પાલીવાલ બહ્મસમાજનો યજ્ઞોપવિત કાર્યક્રમ પૂજય સીતારામ બાપુની ઉપસ્થિતિમાં તા.6-4ને બુધવારના રોજ શિવકુંજઆશ્રમ અધેવાડા ખાતે યોજાયો હતો. દશાપાલીવાલ બ્રહ્મસમાજ આયોજીત 38મો સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ 6 એપ્રીલના રોજ શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે યોજાયો જેમા 213 બટુકો યજ્ઞોપવિત ધારણ કરી હતી અને આ પ્રસંગે જ્ઞાતિના વિદ્વાન પુરોહિતો દ્વારા આ વિધિ કરાવી હતી જેમા દાતાઓનુ સંતોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ અને સાથે બાંભણિયા બ્લડ બેંક ભાવનગર દ્વારા અને જ્ઞાતિના યુવાનોના સહકારથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ . આ કાર્યક્રમમાં સંતો ઉપસ્થિત રહી આશીર્વચન અને આશીર્વાદ આપ્યા જેમા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણાના પાલીવાલ બ્રહ્મસમાજના આગેવાનો હોદેદારો ઉપસ્થિત રહીયા હતા અને. દાતાઓ તરફથી ખૂબજ સહયોગ મળેલ છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા..

Previous articleઆજ રોજ આગેવાન મહેશ વેગડ સીતારામ સેવા ગ્રુપ રાણીગામ દારા કાળેલા ગામના બાકી રહેલા ખેડૂતો માટે સિંચાઈ માટે પાણીની નહેરની માંગણી કરી,
Next articleભાવનગરના ભાલ પંથકમાં દોઢ મહિનાથી પીવાનું પાણી લો-પ્રેશરથી આવતા ગ્રામજનો પરેશાન, હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી