નિર્ણાયક પગલુ લેવાનો સમય આવી ગયો છેઃ વિદ્યા બાલન

1180

પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી સમગ્ર દેશમાં તનાવનો માહોલ ચાલી રહ્યો છે અને ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે બોલીવૂડમાં પણ પાકિસ્તાનની નાપાક હરકતથી રોષ ફેલાયો છે. એક તરફ બોલીવૂડ પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાથી દૂર જઈ રહ્યું છે ત્યારે બીજી તરફ ભારતે પાકિસ્તાનમાં રિલીઝ થઈ રહેલી તમામ ફિલ્મો પર પ્રતિબંધ લગાવી દિધો છે. ત્યારે આ મામલે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા વિદ્યા બાલને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.વિદ્યાએ પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવા વિશે કહ્યું-“મને લાગે છે કે હવે નિર્ણાયક પગલું લેવાનો સમય છે. કળામાં સીમા નામની કોઈ વસ્તુ નથી, પરંતુ આ વખતે મને લાગે છે કે હવે બહું થઈ ગયું. વિદ્યા બાલન ઉપરાંત ઘણા સેલિબ્રિટીઓએ પાકિસ્તાની કલાકારો વિશે ભારત પર પ્રતિબંધ મૂકવાની તરફેણ કરી હતી. પુલવામા હુમલા બાદ પાકિસ્તાનમા ટોટલ ધમાલ, ગલી બોય, લુકા છુપી, નોટબુક અને કબીર સિંહ જેવી ફિલ્મોને રદ કરવામાં આવી હતી.

Previous articleસારા અલી સાયકલ પર…
Next articleનવાઝુદ્દીનની ફિલ્મ ફોટોગ્રાફ પાકિસ્તાનમાં રિલિઝ નહિ થાય…!!