પરશુરામ જન્મોત્સવ નિમિત્તે સિહોર ખાતે વિપ્રાભિવાદન યાત્રા

844

આગામી પરશુરામ જન્મોત્સવ ના અનુસંધાને સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરશુરામ ગ્રુપ સિહોર દ્વારા આજરોજ ભવ્ય બાઇક રેલી નું આયોજન કરવામાં આવેલ જે સિહોરનાં વિવિધ માર્ગો ઉપર ફરી હતી.

જગદિશ્વરાનંદ સોસાયટી મા બાપાની મઢુલી ખાતેથી સાંજે ૪ઃ૩૦ વાગે રેલી સમયસર કાઢવામાં આવી હતી આ બાઈકરેલી મહારાણી લક્ષ્મીબાઈ સ્ટેચ્યુ ખાતે પહોંચી અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અલકાપુરીસોસાયટી, ગૌતમેશ્વર નગર, શિવ શક્તિ સોસાયટી, બાપાની મઢુલી પુનિત નગર ,વૃંદાવન સોસાયટી, માધવડીશ, વડલા ચોક સ્ટેશન રોડ, વિરાજ ટેનામેન્ટ, દેરાસર ખાડીયા વિસ્તાર, નવરંગ સોસાયટી, બાપાની મઢુલી, ગાયત્રીનગર,ભાવનગર મેઈન રોડ રિલાયન્સ પંપ,ની સામે ખાડીયા ચોક, કાઠીયા ભાઈ વાળો ખાચો થી

દેરાસર થી અમદાવાદ રોડ પર ત્રિકોણબાગે, નાના સાહેબ પેશ્વા ના સ્ટેચ્યુનુ અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ટાઉનહોલ ખાતે આ બાઈકરેલી નું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારે ઉપર મુજબ ના રૂટ પર આ રેલીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું

આ બાઈકરેલી માં ખૂબ મોટી સંખ્યામાં માતાઓ, બહેનો,વડીલો,યુવાનો પોતાની બાઈક લઈ જોડાયા હતા અને જય પરશુરામ, હરહર મહાદેવ ના નાદ સાથે શિસ્તબદ્ધ રેલીમાં હજારોની સંખ્યામાં ભૂદેવો સિહોર સહિત સમગ્ર પંથક માંથી જોડાયા હતા ટાઉનહોલ ખાતે સમાપન સમયે યુવાપરશુરામ ગ્રુપ ના પ્રમુખ દીપકભાઈ જાનીએ દરેક નો આભાર વ્યક્ત કરી ૭/૭/૧૯ ને ભગવાન પરશુરામજી જન્મોત્સવ હોય તેમા પણ આથી પણ વધુ લોકો જોડાય અકલ્પનીય બ્રહ્મમેદની સાથે ભગવાનની શોભાયાત્રા કાઢશું અને દરેકે ને ઉપસ્થિત રહેવા આહવાન કર્યું હતું.

Previous articleગઢડા(સ્વામીના) ટેમ્પલ બોર્ડની ચૂંટણી ભારે ઉત્તેજના વચ્ચે પૂર્ણ
Next article૪૩ લાખના હિરા લઇ નાસી ગયેલા આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયા