રેપો અને રિવર્સ રેપોરેટમાં ઘટાડો : લોન વધુ સસ્તી થશે

442

ભારતીય રિઝર્વ બેંકે આજે નાણાંકીય વર્ષની તેની ત્રીજી  દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. ધારણા પ્રમાણે જ રેપોરેટમાં ૦.૩૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.  આની સાથે જ રેપોરેટ  ૫.૭૫ ટકાથી ઘટીને ૫.૪૦ ટકા થઇ ગયો છે.  આવી જ રીતે રિવર્સ રેપો રેટ ૫.૭૫ ટકાથી ઘટીને હવે ૫.૧૫ ટકા થઇ ગયો છે. સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.સતત ચોથી વખત આરબીઆઇ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામા ંઆવ્યો છે. રેપો રેટ હજુ સુધી ૫.૭૫ ટકા હતો. જે સપ્ટેમ્બર ૨૦૧૦ બાદ સૌથી નીચી સપાટી પર હતો. આરબીઆઇ આ વર્ષે પહેલાથી જ રેપો રેટમાં ત્રણ વખત ૦.૭૫ ટકા સુધીનો ઘટાડો કરી ચુકી છે. રેટમાં ઘટાડો થતા લોન લેનાર લોકોને મોટી રાહત થઇ ગઇ છે.  આરબીઆઇએ સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. જેથી તમામ પ્રકારની હોમ અને અન્ય લોન સસ્તી થશે. આરબીઆઇએ સામાન્ય લોકો અને કંપનીઓને મોટી રાહત આપી દીધી છે.  સતત ચોથી  વખત રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ૨૦૧૬માં આની રચના કરવામાં આવ્યા બાદ મોનિટરી પોલિસી દ્વારા ચોથી વખત વ્યાજદરમાં ઘટાડો કરાયો છે. છેલ્લી જુનની પોલિસી બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો.  આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ દ્વારા આજે તેના પરિણામ બેઠક બાદ જાહેર કર્યા હતા. મોનિટરી પોલિસી કમિટિએ રેટમાં કાપની તરફેણમાં  બહુમતિથી નિર્ણય આપ્યો હતો.

રિઝર્વ બેંક દર બે મહિનામાં આર્થિક નીતિઓની સમીક્ષા કરે છે. આ ગાળા દરમિયાન  વ્યાજદરો અથવા તો પોલિસી રેટ ઘટાડવા અથવા વધારવાના સંદર્ભમાં નિર્ણય કરવામાં આવે છે. આ જાહેરાતની સાથે અમે વારંવાર રિવર્સ રેપોરેટ, રેપોરેટ, સીઆરઆર, એસએલઆર જેવા શબ્દો સાંભળીએ છીએ. બેંકોને પોતાના દરરોજના કામકાજ માટે એવી મોટી રકમની જરૂર હોય છે જેની અવધિ એક દિવસથી વધારેની હોતી નથી. આના માટે બેંક સામાન્યરીતે રિઝર્વ બેંકથી એક દિવસ માટે ઓવરનાઇટ લોન મેળવે છે. આ લોન ઉપર રિઝર્વ બેંકને તેમને વ્યાજ ચુકવવાની જરૂર હોય છે. જે વ્યાજ ચુકવવાની જરૂર હોય છે તેને રેપોરેટ કહેવામાં આવે છે. બીજી બાજુ રિવર્સ રેપોરેટ આનાથી બિલકુલ અલગ હોય છે. બેંકોની પાસે દિવસભર કામકાજ બાદ મોટી રકમ બચી જાય છે. બેંક આ રકમ રિઝર્વ બેંક પાસે રાખી શકે છે જેના ઉપર તેમને વ્યાજ મળે છે જે રકમ ઉપર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે. આવી જ રીતે તમામ બેંકો માટે જરૂરી હોય છે કે, તે પોતાની પાસેના કુલ કેશ રિઝર્વનો એક ચોક્કસ હિસ્સો બેંક પાસે જમા રાખે અને કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. ક્યારેક એવું બને છે કે, એક સાથે અનેક જમા કરનાર લોકો પોતાના પૈસા ઉપાડવા માટે બેંકોમાં પહોંચી જાય છે. આવી સ્થિતિમાં બેંક ડિફોલ્ટ ન કરે તે માટે આ રકમ લેવામાં આવે છે. આવી જ રીતે એસએલઆર પણ મહત્વપૂર્ણ બાબત છે. કોમર્શિયલ બેંકો માટે પોતાના દરેક દિવસના કારોબારના અંતમાં રોકડ રકમ, સોના-ચાંદી અને સરકારી સિક્યુરિટીમાં રોકાણ તરીકે એક મોટી રકમ રિઝર્વ બેંકની પાસે રાખવાની જરૂર હોય છે. જે તે કોઇપણ ઇમરજન્સી દેવાદારીને પૂર્ણ કરવા માટે ઉપયોગ કરી શકે છે. જે રેટ ઉપર બેંક પોતાના પૈસા સરકારની પાસે રાખે છે તેને એસએલઆર કહેવામાં આવે છે.આરબીઆઈએ તમામ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા. જાણકાર લોકોનુ કહેવુ છે કે જ્યારે રેપોરેટમાં ઘટાડો થયા છે ત્યારે લોન સસ્તી થાય છે. આવી સ્થિતિમાં લોન સસ્તી થવાના સંકેત દેખાઈ રહ્યા છે.  વ્યાજદર ઘટશે તેમ પહેલાથી જ માનવામાં આવી રહ્યુ હતુ. છેલ્લી નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ જુનમાં જાહેર કરવામાં આવ્યા હતા. તે પહેલા એપ્રિલમાં પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકવાના ઇરાદા સાથે હાલમાં સતત વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આના કારણે હોમ લોન અને અન્ય પ્રકારની તમામ લોન સસ્તી થઇ શકે છે. હાલમાં તમામની નજર આરબીઆઇ પર કેન્દ્રિત હતી.

Previous articleગુજરાત સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ : આજે કાર્યક્રમો
Next articleસુષ્મા સ્વરાજ પંચતત્વમાં વિલિન