વિશ્વના સૌથી વિશાળ સોલાર પાર્કની સ્થાપનાને સૈદ્ધાંતિક મંજૂરી 

627
guj11418-12.jpg

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધોલેરા એસઆઈઆરમાં વિશ્વના ૫૦૦૦ મેગાવોટના સોલાર પાર્કની સ્થાપનાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગીગાવોટ ઊર્જા બિનપરંપરાગત સ્ત્રોત દ્વારા ઉત્પાદન કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે તેમાં ગુજરાત આ વિશાળ સોલાર પાર્ક દ્વારા  આગવું પ્રદાન કરશે તેમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.  ધોલેરા એસ.આઈ.આર.માં વિશ્વના સૌથી વિશાળ ૫૦૦૦ મેગાવોટના સોલાર પાર્કની સ્થાપનાની સૈદ્ધાંતિક મંજૂરી  વિજયભાઇ રૂપાણીએ આપી છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગીગાવોટ ઉર્જાનું બિન પરંપરાગત સ્ત્રોત દ્વારા ઉત્પાદન કરવાનો જે મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે તેમાં ગુજરાત આ વિશાળ સોલાર પાર્ક દ્વારા આગવું પ્રદાન  કરશે. ધોલેરા એસ.આઇ.આર. પર્યાવરણ પ્રિય ગ્રીન ફિલ્ડ ટેકનોલોજી આધારિત વિકસીત થવાનો છે તેમાં આ સોલાર પાર્ક પૂરક બનશે. ધોલેરા એસ.આઇ.આરમાં ખંભાતના અખાતમાં ૧૧૦૦૦ હેક્ટરમાં આકાર પામનારા આ સોલાર પાર્કમાં રૂા. ૨૫૦૦૦ કરોડનું અંદાજીત રોકાણ થવાની સંભાવના છે.  આ સોલાર પાર્કને પરિણામે ૨૦ હજારથી વધુ લોકોને રોજગાર અવસર મળશે, એટલું જ નહીં ધોલેરા ઇન્ટરનેશનલ સિટી અને આસપાસના વિસ્તારોમાં મેન્યુફેક્ચરિંગ ફેસેલિટીઝની સંપૂર્ણ સપ્લાય ચેઇન માટે મોટી તકો ખૂલશે. 
પ્રાથમિક અભ્યાસોમાં સોલર ઊર્જાના ઉત્પાદન માટે અહિં વિશાળ સંભાવના દર્શાવવામાં આવી છે. આ સોલર પાર્ક સસ્ટેનેબિલિટી, રોજગાર સર્જન તથા ૧૭૫ ગિગાવોટ રિન્યૂએબલ એનર્જીના સર્જનના ભારતના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા માટેની ગુજરાતની સંકલ્પબધ્ધતાનું એક આગવું કદમ બનશે.  ગુજરાત દેશના ઉત્પાદન ક્ષેત્રે જી.ડી.પી. વધારવામાં યોગદાન આપવા સાથે કુદરતી સંસાધનોના સંવર્ધન અને પ્રાકૃતિક સંસાધનોને નુકસાન ન થાય એ પ્રકારે સાતત્યપૂર્ણ વિકાસના ક્ષેત્રે તથા ભારતના વિસ્તરી રહેલા ઉત્પાદન ક્ષેત્રમાં મોખરાનું સ્થાન લેવા માટે પ્રતિબદ્ધ છે. તેના ભાગરૂપે જ ગુજરાતે ધોલેરામાં વિશ્વની સૌથી વિશાળ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપનું નિર્માણ કરવા માટે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર (ડ્ઢસ્ૈંઝ્ર) સાથે સરકારે ભાગીદારી કરી છે. ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટીને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી પ્લેટિનમ રેટિંગ પણ  આપવામાં આવ્યું છે.  ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં સોલર પાર્ક, વિન્ડ પાર્ક તેમજ અદ્યતન એરપોર્ટના નિર્માણ માટેના વિવિધ વિકાસલક્ષી વિષયો અંગે યોજેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. 
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ, શિક્ષણ મંત્રી  ભૂપેન્દ્રસિંહ, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ  કૈલાસનાથન, સચિવ તેમજ નાણાં અને વન-પર્યાવરણ મહેસૂલ તેમજ ઊર્જાના અધિક મુખ્ય સચિવ અને ધોલેરા જીૈંઇના સીઇઓ તથા ય્ેંફદ્ગન્ના  એમ.ડી. વગેરે જોડાયા હતા. 

Previous article સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમમાં નાપાસ વિદ્યાર્થીઓની ૧૯ એપ્રિલથી પૂરક પરીક્ષા
Next article ગુજરાતમાં બંધના એલાનનો ફિયાસ્કો