કોરોના કાળમાં પંજાબ સરકારનો મોટો નિર્ણય, ૨ ઓગસ્ટથી ખુલશે સ્કૂલો

207

(જી.એન.એસ.)ચંડીગઢ,તા.૩૧
કોરોનાની બીજી લહેર નબળી પડતા હવે શાળા કોલેજો શરૂ કરવાની કવાયત શરૂ થઈ છે. પંજાબ સરકારે ૨ ઓગસ્ટથી રાજ્યમાં તમામ વર્ગની શાળાઓ ફરીથી ખોલવાની મંજૂરી આપી છે. જો કે, આ સમય દરમિયાન કોવિડ નિયમોનું યોગ્ય પાલન સુનિશ્ચિત કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે. આ દરમિયાન, બાળકો તેમના માતાપિતાની સંમતિથી જ શાળાઓમાં આવશે અને ઓનલાઇન વર્ગોનો વિકલ્પ યથાવત રહેશે. પહેલા જ પંજાબમાં ૧૧ થી ૧૨ માં ધોરણ માટે શાળાઓ ખુલી ચૂકી છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં થયેલા ઘટાડાને જોતા હવે નાના બાળકો માટે પણ શાળાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યની ખાનગી શાળાઓ લાંબા સમયથી શાળાઓ ખોલવાની પરવાનગીની માંગ કરી રહી હતી. અધિક મુખ્ય સચિવ (ગૃહ) દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશોમાં કહેવામાં આવ્યું છે કે ૨ ઓગસ્ટથી તમામ વર્ગની શાળાઓ ફરીથી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જો કે, આ સમય દરમિયાન શાળાઓમાં કોરોના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પંજાબમાં ૨૬ મી જુલાઈથી ધોરણ ૧૦ થી ૧૨ સુધીની શાળાઓ ખોલવાની મંજૂરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો બધુ બરાબર ચાલશે તો ૨ ઓગસ્ટથી નાના બાળકો માટે પણ શાળાઓ ખોલવાની પરવાનગી આપવામાં આવશે. તે જ સમયે, હવે તમામ વર્ગો માટે શાળાઓ ખોલવાથી ખાનગી શાળાઓને મોટી રાહત મળશે. જણાવી દઈએ કે શાળામાં પ્રવેશતાની સાથે જ દરેક બાળકોનો તાવ ચકાસવા ઉપરાંત, હાથને સ્વચ્છ કરવામાં આવશે. બાળકોને વર્ગમાં બેસાડતી વખતે, સામાજિક અંતરનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ૨૬ મી જુલાઈથી, દસથી બારમા ધોરણની શાળાઓ શરૂ કરવામાં આવી છે પરંતુ કોરોનાના ડરને કારણે શાળામાં હજુ બાળકોની સંખ્યા ઓછી છે.

Previous articleઆંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે એમ્બેસેડર એટ લાર્જના રુપમાં નિમ્યા
Next articleહાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાની જોડીએ મુંબઈમાં ખરીદ્યો ૩૦ કરોડનો ફ્લેટ