મહુવા ખાતે વિહિપના અધ્યક્ષની થયેલી હત્યાને વખોડવા સાથે વિહિપ ભાવનગર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલ અને હિદુઓ પરના હુમલા દેશની સંસ્કૃતિ અને સભ્યતા ઉપર હુમલા હોવાનું જણાવી આ હુમલાને પુર્વયોજીત કાવતરૂ હોવાનું જણાવેલ અને આવા તત્વોને કડક સજા કરવાની માંગણી કરી હતી.