માળનાથ ગ્રુપ દ્વારા પાણીના કુંડાનું વિતરણ

760
bvn1042018-1.jpg

ઘર આંગણાનું માનીતું પંખી ચકલી સહિત અન્ય દુર્લભ જીવસૃષ્ટિને બચાવવા માટે શહેરમાં અનેક સ્વયંસેવી સંસ્થાઓ કાર્યરત છે. જે પૈકી માળનાથ મહાદેવ ગ્રુપ દ્વારા પક્ષીઓને ચણ, પાણીના કુંડા, માળા સહિતનું વિતરણ કરવામાં આવે છે. જે અન્વયે આજરોજ માળનાથ ગ્રુપ તથા દાતાઓના સહયોગથી વેશભુષા ધારણ કરેલ બાળકોના હસ્તે સંસ્કાર મંડળ સ્થિત ખોડીયાર મંદિર ખાતે લોકોને પાણીના કુંડાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. 

Previous articleસે.-૨૯માં ૮૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૨૮૦ આવાસોનું લોકાર્પણ
Next articleસિહોરમાં ટ્રાફીકને નડતર લારીઓ ડીટેઈન