ડેલ્ટા વેરિયન્ટ જેવા ઊછાળાની શક્યતા ઓછી : ડૉ. ગુલેરિયા

61

દેશના લોકો જે રીતે વર્તે છે, તેની જ અસર ભવિષ્યમાં જોવા મળશે : બાળકોના રસીકરણ અંગે શંકા ન રાખો મહામારીનું નિયંત્રણ હોસ્પિટલ પર નહીં પરંતુ સમાજ પર આધારિત હોવાનો AIIMSના ડિરેક્ટરનો દાવો
નવી દિલ્હી, તા.૧૯
એઆઈઆઈએમએસના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે હવે જેવી બીજી લહેર જેવી લહેર આવવાની શક્યતા હવે ઓછી છે. તેમણે એમ પણ કહ્યું કે મહામારીનું નિયંત્રણ હોસ્પિટલ પર નહીં પરંતુ સમાજ પર આધારિત છે. દેશના લોકો જે રીતે વર્તે છે, તેની જ અસર ભવિષ્યમાં જોવા મળશે. આ મહામારીમાં માત્ર આરોગ્ય કર્મચારીઓ જ નહીં પરંતુ દેશનો દરેક વ્યક્તિ ફ્રન્ટલાઈન વર્કર અને કોવિડ યોદ્ધા છે. બાળકોના રસીકરણ અંગે શંકા ન રાખો કે ફાયદો થશે, નુકસાન થશે. જે વયના બાળકો માટે રસી ઉપલબ્ધ છે, તેઓને રસી લેઈને મહામારી સામે સુરક્ષિત કરવામાં આવે તો તે વધુ સારું રહેશે. શુક્રવારે, આરોગ્ય મંત્રાલયની પહેલ પર એઆઈઆઈએમએસના ડિરેક્ટર ડૉ ગુલેરિયાએ ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ડૉ આરતી વિજ સાથે કોવિડ અને તેના સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. ચર્ચાની શરૂઆતમાં ડૉ. ગુલેરિયાએ કહ્યું કે આજે આપણે ઘણી સારી સ્થિતિમાં છીએ. અગાઉની લહેરની સરખામણીમાં આ લહેર ઘણી નિયંત્રણમાં રહી હતી. હવે સેકન્ડ વેવ જેવા ઉછાળાની શક્યતા ઓછી છે. કેન્દ્ર સરકારના વખાણ કરતા તેમણે કહ્યું કે શરૂઆતથી જ સરકારે આ અંગે સારી પહેલ કરી. સમયસર જનતા કર્ફ્‌યુ, પછી લોકડાઉન, કોવિડ બિહેવિયર માટે જાગૃતિ જેવા કાર્યક્રમો લાવ્યા અને આજે આપણે વિશ્વના ઘણા દેશો કરતા વધુ સારી સ્થિતિમાં છીએ. રસીકરણ કાર્યક્રમ અંગે તેમણે કહ્યું કે મને યાદ છે જ્યારે ૨૦૦૯માં એચ૧એન૧ આવ્યો હતો, તે સમયે મીડિયા કહેતું હતું કે આપણી પાસે આપણી પોતાની રસી કેમ નથી? આજે પરિસ્થિતિ સાવ જુદી છે. આપણી પાસે પોતાની રસી છે અને આજે દેશમાં અડધા ડઝનથી વધુ રસી દેશમાં બની રહી છે. વિશ્વમાં પ્રથમ વખત પ્લાઝ્‌મા ડીએનએ રસી આપણાં દેશમાં બનાવવામાં આવી રહી છે. દ્બઇદ્ગછ ટેકનિકલ અને પ્રોટીન સબ યુનિટ્‌સ સાથેની રસીઓ ઉપલબ્ધ છે. આપણો રસીકરણ કાર્યક્રમ આ મહામારી સામે એક પ્રકારની સફળતાની ગાથા છે. ડૉ. ગુલેરિયાએ કહ્યું કે જ્યાં સુધી રસીકરણ કાર્યક્રમની વાત છે, મિશન ઈન્દ્રધનુષ દેશમાં પહેલેથી જ ચાલી રહ્યું હતું, પરંતુ તે બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે છે. પરંતુ સરકારની પહેલ પર કોવિન એપ બનાવવામાં આવી અને તેનું સંચાલન શક્ય બન્યું. એટલું જ નહીં, વિતરણ શૃંખલા માટે કેન્દ્ર અને રાજ્યએ સાથે મળીને કામ કર્યું, જેના પરિણામે ગ્રામીણ વિસ્તારમાં રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ માટે ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે, છેક છેવાડા સુધી પહોંચવા માટે ’હર ઘર દસ્તક’ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે નાના બાળકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. હવે આપણે એ મૂંઝવણમાં ન રહેવું જોઈએ કે તે ફાયદાકારક છે કે નુકસાનકારક, બાળકોને બચાવવા માટે આપણે તેમનું રસીકરણ કરવું જોઈએ. હેલ્થકેર વર્કરોના યોગદાનનો ઉલ્લેખ કરતાં ડૉ. ગુલેરિયાએ કહ્યું કે મારી સમજ પ્રમાણે દેશનો દરેક નાગરિક આ મહામારીમાં કોરોના યોદ્ધા છે. દરેકે પોતપોતાના સ્તરે યોગદાન આપ્યું છે, કેટલાકે દવા વહેંચી છે તો કેટલાકે ઓક્સિજન. કેટલાકે ભોજનનું વિતરણ કર્યું છે તો કેટલાકે સારવાર આપી છે. વૈજ્ઞાનિકોએ રસી બનાવીને યોગદાન આપ્યું તો કોઈએ પીપીઈ કિટ અને માસ્ક બનાવીને પોતાની ફરજ બજાવી. એક સમયે આપણી પાસે પીપીઈ કિટ અને એન૯૫ માસ્ક નહોતા, આજે આપણે તેને સપ્લાય કરી રહ્યા છીએ. તો આ બધા કોરોના યોદ્ધાઓ છે. હવે હોસ્પિટલના નહીં પણ સમુદાયના યોગદાનથી આ મહામારીને વધુ રોકવી શક્ય બનશે.

Previous articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૨૨૭૦ કેસ નોંધાયા
Next articleમૈસુરની કોલેજે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ સાથે બેસવા માટે મંજૂરી આપી