શહેર કોંગ્રેસ લઘુમતી વિભાગના ચેરમેન તરીકે અનવરખાન પઠાણની નિમણુંક

1158

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન ગુલાબખાન કે. રાઉમા દ્વારા ભાવનગર શહેર કોંગ્રેસના લઘુમતી વિભાગના ચેરમેન પદે મુસ્લિમ સમાજના અગ્રણી એવા અનવરખાન રહીમખાન પઠાણની નિમણુંક કરવામાં આવેલ છે.

આજે અનવરખાન પઠાણને ચેરમેન તરીકે નિમણુંક આપતો લેટર આપવામાં આવેલ. કોંગ્રેસ શહેર લઘુમતી વિભાગના ચેરમેન પદે અનવરખાન પઠાણની નિમણુંક થતા પ્રદેશ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, ભીખાભાઈ જાજડીયા, સાજીદ કાઝી તેમજ કોંગ્રેસના હોદ્દેદારો અને મુસ્લિમ સમાજના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી અને નિમણુંકને આવકારી હતી.

Previous articleરૂબેલા રસીકરણ કાર્યક્રમ અંગે મળી ગયેલી બેઠક
Next articleઅમૃતસર યાત્રાએ ગયેલા યુવાનને ઈલેકટ્રીક શોક લાગતા મોત નીપજ્યુ