રૂબેલા રસીકરણ કાર્યક્રમ અંગે મળી ગયેલી બેઠક

1119

 

ભાવનગર તા.૩

મિજસર્સ રૂબેલા રસીકરણ કાર્યક્રમ અન્વયે આજે નાય.કમિ. એન.ડી.ગોવાણીની હાજરીમાં ધર્મગુરૂઓ, કાર્યકરો વિગેરેની એક મહત્વપૂર્ણ બેઠક સેવા સદન ખાતે મળેલ. મળેલી આ બેઠકમાં નાય.કમિ. ગોવાણીએ તા.૧પમી જુલાઈથી તા.૧પમી ઓગષ્ટ સુધી યોજાનાર રૂબેલા રસીકરણ કાર્યક્રમ અંગેની વિગતે વિગતો આપી હતી. ભાવનગર શહેરમાં આ કાર્યક્રમ તળે એક લાખ ૮૦ હજાર બાળકોને રસીકરણ અપાશે. આ માટે રસીકરણ અંગે વિવિધ વિગતો સાથેની સમજણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ડો.સિંહા વિગેરે પણ હાજર રહ્યા હતા.

Previous articleગેરકાયદે દબાણ દુર કરતું મહાપાલિકા
Next articleશહેર કોંગ્રેસ લઘુમતી વિભાગના ચેરમેન તરીકે અનવરખાન પઠાણની નિમણુંક